ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ શક્તિસિંહ ગોહિલે કરી પ્રેસ કોન્ફરન્સ! જાણો પત્રકારોના સવાલોના શું આપ્યા જવાબ?


  • Published By :
  • Published Date : 2023-06-10 19:23:46

ગુજરાત કોંગ્રેસની કમાન હજી સુધી જગદીશ ઠાકોર સંભાળી રહ્યા હતા પરંતુ ગઈકાલે ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ બનાવાયા છે. ત્યારે પ્રદેશ પ્રમુખ બન્યા બાદ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે હું પક્ષનો સૈનિક છું. વિચારમંથન બાદ મને આ જવાબદારી સોંપવામાં આવી છે. મેં આ નિર્ણયને દિલથી આવકાર્યો છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં ખેડૂતો, દલીતો, મોંઘવારી, રોજગારી સહિતના મુદ્દાઓ પર આગળ વધવામાં આવશે.


18 જૂનના રોજ સત્તાવાર રીતે સંભાળશે કાર્યભાર!

ગઈકાલે ગુજરાત કોંગ્રેસને નવા અધ્યક્ષ મળ્યા છે. શક્તિસિંહ ગોહિલને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. નવનિયુક્તિ બાદ આજે શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં આવનારા દિવસોમાં કોંગ્રેસ કેવી રીતે આગળ વધશે તેવી જાણકારી આપવામાં આવી હતી. શક્તિસિંહ ગોહિલ 18 જૂનના રોજ વિધિવત રીતે ચાર્જ સંભાળવાના છે અને તે પહેલા 10 વાગ્યે સાબરમતી આશ્રમની મુલાકાત લઈ ગાંધીજીને નમન કરશે અને તે બાદ રાજીવ ભવન ખાતે જઈ પોતાનો કાર્યભાર સંભાળશે. 

   

આગામી સમયમાં કોંગ્રેસની રાજનીતિ અંગે કરી વાત!

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે આગામી સમયમાં કોંગ્રેસ ખેડૂતો, દલિતો, મોંઘવારી સહિતના મુદ્દાઓ પર રાજનીતિ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મુદ્દા આધારિત ચૂંટણી હોવી જોઈએ. અમે લોકો વચ્ચે જઈશું.જગ્યા ખાલી છે અને યુવાનોને નોકરી નથી મળી રહી. ગેસનો બાટલો,પેટ્રોલ,ડીઝલ અને મોંઘવારીના મુદ્દા સાથે સકારાત્મક વલણ સાથે કામ કરીશું. હું જૂથબંધીવાળો રાજકારણી નથી. મારી જોડે આવો અને ખુલ્લા મને ચર્ચા કરો.કોંગ્રેસમાં ક્યારેય કોઈનો અસ્વિકાર નથી, બધાને આવકાર છે પણ બળજબરી પૂર્વક નહીં.

  

ભાજપ પર જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે આ જવાબ આપ્યો!

કોંગ્રેસમાંના અનેક કદાવર નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડી કેસરિયો ધારણ કરી લીધો છે. એવું પણ માનવામાં આવે છે કે જ્યારે કોંગ્રેસને નવા અધ્યક્ષ  મળે છે ત્યારે કોઈ કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાઈ જાય છે. જ્યારે આ વાતને લઈ તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો કે હું કેટલાક લોકોને ઓળખું છું, કે તેમને નથી જવું હોતું પણ મજબૂરીથી, ધાક ધમકીથી તેમને લઈ જવામાં આવે છે. અમે તોડજોડની રાજનીતિમાં નથી માનતા. ભાજપ અનેક વખત કોંગ્રેસ પર ભ્રષ્ટાચારને લઈ આરોપો લગાવતા હોય છે. તેમણે ચેલેન્જ કરતા કહ્યું કે, જો અમે ભ્રષ્ટાચાર કર્યો હોય તો કોંગ્રેસના નેતાને જેલમાં નાખો, 9 વર્ષથી તમારી જ સરકાર છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!