શક્તિસિંહ ગોહિલ બન્યા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ, જગદીશ ઠાકોરનું પત્તુ કપાયું


  • Published By :
  • Published Date : 2023-06-09 22:53:58

ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલના નામની જાહેરાત કરવામાં આવી છે. કૉંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)એ ગુજરાત કોંગ્રેસની કમાન રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલને સોંપી છે. તેઓ અત્યાર સુધી દિલ્હી અને હરિયાણાના પ્રભારી તરીકે સેવા આપતા હતા. 


દિપક બાબરિયા અને પરેશ ધાનાણી પણ હતા પદના દાવેદાર


ગુજરાત કોગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે ગુજરાતના કોંગ્રેસના ટોચના નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા, આ અગ્રણી નેતાઓમાં અર્જુન મોઢવાડિયા, અમિત ચાવડા, શૈલેષ પરમાર, સિદ્ધાર્થ પટેલ અને દીપક બાબરિયાનો સમાવેશ થતો હતો. પાર્ટીના નવા રાજ્ય પ્રભારી અને અધ્યક્ષની નિમણૂક કરવા માટે રાજ્યના ટોચના નેતાઓ અને કેન્દ્રીય નેતૃત્વ વચ્ચે દિલ્હીમાં લાંબી ચર્ચા-વિચારણા થઈ હતી. પ્રદેશ અધ્યક્ષના પ્રમુખ પદના ટોચના દાવેદારોમાં દિપક બાબરિયા અને પરેશ ધાનાણી પણ હતા. આખરે કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ પર દાવ અજમાવ્યો છે. 


જગદીશ ઠાકોરને મોટો ઝટકો


દિલ્હી કોંગ્રેસ હાઈકમાન્ડએ મહત્વનો નિર્ણય લીધો છે, હાઈકમાન્ડ દ્વારા શક્તિસિંહ ગોહિલને ગુજરાતની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. હવે લોકસભાની ચૂંટણી શક્તિસિંહ ગોહિલ માટે સૌથી મોટી પરીક્ષા છે પણ આ પરીક્ષા પાસ કરી તો કોંગ્રેસ માટે નવો સૂરજ ઉગશે. હાઈકમાન્ડનો આ નિર્ણય જગદીશ ઠાકોર માટે મોટા ઝટકા સમાન છે. શક્તિસિંહ ગોહિલ હાલમાં રાજ્ય સભાના સાંસદ છે અને 2026 સુધી તેઓ સાંસદ બની રહેશે.


ગ્યાસુદ્દીન શેખે પણ કરી હતી રજૂઆત 


કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે લોકસમસ્યાને લઇને સંઘર્ષ કરી શકવાની ક્ષમતા ધરાવતા નેતાને પ્રદેશ પ્રમુખ બનાવજો એવી રજૂઆત સોશિયલ મીડિયા મારફત કોંગ્રેસના મોવડી મંડળને કરી છે. તેમણે લખ્યું છે કે હાઇકમાન્ડે વિવેકબુદ્ધિ અને સર્વેને આધારે કોંગ્રેસની વિચારધારાને સમર્પિત હોય તેવા નેતા અને જમીન સ્તરના કાર્યકરોને સન્માન આપે તેવા નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવા જોઈએ.


ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારોની થઈ રહી હતી ચર્ચા


ગુજરાતમાં કારમી હાર બાદ ગુજરાત કોગ્રેસમાં મોટા ફેરફારો થશે તેવી રાજકીય વર્તુળોમાં આશંકા પહેલેથી વ્યક્ત કરવામાં આવી રહી હતી. વિધાનસભાની ચૂંટણીમાં 35 ટિકિટો વેચાઈ હતી એવા આક્ષેપો બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પાંચ અગ્રણી નેતાઓને દિલ્હી બોલવવામાં આવ્યા હતા. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલના નામની  જાહેરાત કરી છે.  



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .