શક્તિસિંહ ગોહિલે ગાંધી આશ્રમમાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી, આજે પદ ગ્રહણ નહીં કરે, જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-06-18 15:49:32

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આજે ગાંધી આશ્રમથી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય અમદાવાદ ખાતે પદયાત્રા કરી હતી. રાજ્યસભાના સંસદ શક્તિસિંહ ગોહિલને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપવામાં આવ્યા બાદ શક્તિસિંહે આ પહેલી રેલી યોજી હતી. શક્તિસિંહ ગોહિલે આજે ગાંધી આશ્રમ પહોંચી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.આ પદયાત્રામાં કોંગ્રેસના કાર્યકરો, મિત્રો તથા શુભ ચિંતકો આજે રવિવારે સવારે 10 કલાકે ગાંધી આશ્રમ, સાબરમતી, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ભજન, પ્રાર્થના અને ત્યાર બાદ ગાંધી આશ્રમથી પ્રદેશ કાર્યાલય સુધીની પદયાત્રામાં જોડાયા હતા. 


શક્તિસિંહ આજે નહીં કરે પદગ્રહણ


શક્તિસિંહ ગોહિલે આજે ગાંધી આશ્રમથી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય અમદાવાદ ખાતે પદયાત્રા કરી હતી. આ દરમિયાન આજે તેઓ પ્રદેશ કોંગ્રેસ સમિતિનો ચાર્જ વિધિવત રીતે સંભાળશે તેવું નક્કી હતું પરતું છેલ્લી ઘડીએ આજે ચાર્જ સાંભળવાનું શક્તિસિંહ ગોહિલે કેન્સલ કર્યું છે. જો કે આજે અમાસ હોવાના કારણે કાર્યભાર ન સંભાળવાનો નિર્ણય કર્યો છે. ભગવાન જગન્નાથના આશિર્વાદ લઈને આવતી કાલે કાર્યભાર સંભાળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જો કે આજે રાજીવ ગાંધી ભવન પર માત્ર અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.