શક્તિસિંહ ગોહિલે ગાંધી આશ્રમમાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી, આજે પદ ગ્રહણ નહીં કરે, જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-06-18 15:49:32

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આજે ગાંધી આશ્રમથી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય અમદાવાદ ખાતે પદયાત્રા કરી હતી. રાજ્યસભાના સંસદ શક્તિસિંહ ગોહિલને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપવામાં આવ્યા બાદ શક્તિસિંહે આ પહેલી રેલી યોજી હતી. શક્તિસિંહ ગોહિલે આજે ગાંધી આશ્રમ પહોંચી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.આ પદયાત્રામાં કોંગ્રેસના કાર્યકરો, મિત્રો તથા શુભ ચિંતકો આજે રવિવારે સવારે 10 કલાકે ગાંધી આશ્રમ, સાબરમતી, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ભજન, પ્રાર્થના અને ત્યાર બાદ ગાંધી આશ્રમથી પ્રદેશ કાર્યાલય સુધીની પદયાત્રામાં જોડાયા હતા. 


શક્તિસિંહ આજે નહીં કરે પદગ્રહણ


શક્તિસિંહ ગોહિલે આજે ગાંધી આશ્રમથી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય અમદાવાદ ખાતે પદયાત્રા કરી હતી. આ દરમિયાન આજે તેઓ પ્રદેશ કોંગ્રેસ સમિતિનો ચાર્જ વિધિવત રીતે સંભાળશે તેવું નક્કી હતું પરતું છેલ્લી ઘડીએ આજે ચાર્જ સાંભળવાનું શક્તિસિંહ ગોહિલે કેન્સલ કર્યું છે. જો કે આજે અમાસ હોવાના કારણે કાર્યભાર ન સંભાળવાનો નિર્ણય કર્યો છે. ભગવાન જગન્નાથના આશિર્વાદ લઈને આવતી કાલે કાર્યભાર સંભાળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જો કે આજે રાજીવ ગાંધી ભવન પર માત્ર અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.