ડુંગળીના નિકાસ પર લગાવેલા પ્રતિબંધનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં આવ્યા Shaktisinh Gohil! સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-12-16 12:15:59

ડુંગળીને ગરીબોની કસ્તુરી ગણવામાં આવે છે. રોટલો અને ડુંગળી ખાઈને ગરીબો પોતાના જીવનનો ગુજારો કરતા સામાન્ય રીતે દેખાય છે. ત્યારે  ડુંગળીના નિકાસ પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવાતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. નિકાસ ચાલતો હતો ત્યારે ખેડૂતોને આશા રહેતી હતી કે ડુંગળીનો તેમને સારો ભાવ મળશે. પરંતુ નિકાસ પર પ્રતિબંધ મૂકાવાને કારણે ખેડૂતોની કમાણી પર સીધી અસર થઈ છે. પ્રતિબંધને હટાવવા માટે ખેડૂતો વિરોધ કરી પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આવ્યા છે.   

આર્થિક દેવાને કારણે અનેક ખેડૂતો કરે છે આત્મહત્યા

ખેડૂતને આપણે જગતનો તાત કહીએ છીએ. ખેડૂતો રાત-દિવસ મહેનત કરે છે તેથી જ આપણી થાળીમાં ભોજન આવે છે. ખેતરમાં મજૂરી કરે છે તેથી આપણે ભરપેટ ખાવાનું ખાઈ શકીએ છીએ. પરંતુ ખેડૂતોની હાલત પ્રતિદિન દયનિય બની રહી છે. આર્થિક સ્થિતિ નબળી બની રહી છે. જેને કારણે અનેક ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ખેડૂતોની સ્થિતિ સુધરે, ખેડૂતોની આવક ડબલ થાય તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી, ખેડૂતોની હાલત સુધરી છે તેવા દાવા પણ કરવામાં આવે છે પરંતુ તે દાવાની સચ્ચાઈ શું છે તે જાણીએ છીએ. 

માર્કેટ યાર્ડના મેઈન ગેટ આગળ ડુંગળી ફેંકી ખેડૂતોએ ગેટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું


ડુંગળીના નિકાસ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ 

વરસાદ પર ખેતીનો આધાર રહેલો હોય છે. પરંતુ વરસાદ હવે અનિયમિત થઈ ગયો છે જેને કારણે વરસાદ ક્યારે આવશે તેની જાણ નથી થતી. વરસાદ અનિયમિત થઈ ગયો છે જેને કારણે ગમે ત્યારે વરસાદ પડી રહ્યો છે. આ બધા વચ્ચે સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. વધારે કમાણી થાય તે માટે ખેડૂતોએ ડુંગળીનું વાવેતર વધારે કર્યું હતું પરંતુ સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે જેને કારણે તેમને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. નિકાસ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવવામાં આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે. રસ્તા પર વિરોધ પ્રદર્શન ખેડૂતો કરી રહ્યા છે. ડુંગળીને રસ્તા પર ફેંકી દીધો અને અનેક રસ્તાઓ બ્લોક પણ કર્યા. 



શક્તિસિંહ ગોહિલે નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટે તે માટે કરી રજૂઆત!    

અનેક ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી જેને લઈ પોલીસે અનેક ખેડૂતોની અટકાયત પણ લીધી છે. બે દિવસથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ત્યારે આજે પણ તેમનો વિરોધ યથાવત છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વિરોધ કરી રહેલા ખેડૂતો અંગે વાત કરી છે અને સરકાર પર પ્રહાર કર્યા છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધનો કેન્દ્ર સરકારનો નિર્ણય ડુંગળી પકવતા ખેડૂતો માટે અન્યાય કર્તા. સરકાર ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવે અથવા પોષણક્ષમ ભાવે ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદી કરે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!