શક્તિપીઠ બહુચરાજી મંદિર માટે લેવાયો મોટો નિર્ણય, મંદિરના શિખરને 71.5 ફૂટ ઊંચે લઈ જવાશે


  • Published By :
  • Published Date : 2023-03-08 13:51:11

ઉત્તર ગુજરાતમાં આવેલ પવિત્ર શક્તિપીઠ બહુચરાજી મંદિરના વિકાસ માટે મોટો નિર્ણય લેવાયો છે. યાત્રાધામ બહુચરાજી સ્થિત બહુચર માતાજીને મંદિરને 71.5 ફૂટ ઊંચા શિખર સાથે નવેસરથી ઉભું કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે જૂના મંદિરની સરખામણીએ નવું મંદિર એટલું ભવ્ય નહોતું  દેખાતું  તેથી માઈ ભક્તોમાં પણ ભારે અસંતોષ હતો વળી મંદિરનું નિર્માણ પણ વાસ્તુશાસ્ત્ર મુજબ ન હોવાથી તેના જીર્ણોધ્ધારની માગ છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહી છે. રાજ્ય સરકારે આ જાહેરાત કરતાં માઇભક્તોમાં આનંદની લાગણી ફેલાઈ છે. 


રાજ્ય સરકારે કરી જાહેરાત


રાજ્ય સરકારના બે મંત્રીઓ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત અને યાત્રાધામ વિકાસ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મંદિરના નવનિર્માણ અંગે જાણકારી આપતા કહ્યું કે લાખો શ્રદ્ધાળુઓના પ્રતીક સમા મા બહુચરના ધામમાં દર્શનાર્થે આવતા યાત્રિકોને વધુને વધુ સુવિધા મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પ્રથમ તબક્કામાં આજે પૂનમના પવિત્ર દિવસે રાજ્ય સરકારે રૂ.20 કરોડ ફાળવ્યા છે. 


મંદિર કેવું બનશે?


રાજ્ય સરકારે બહુચરાજી મંદિરના જીર્ણોધ્ધાર માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. તે મુજબ બહુચરાજી શક્તિપીઠના મંદિર પરિસરને ‘બી’ કેટેગરીમાંથી ‘એ’ કેટેગરી એટલે કે અંબાજી અને સોમનાથ મંદિરની કેટેગરીમાં રૂપાંતર કરવામાં આવશે. જે મુજબ આગામી 25 વર્ષને ધ્યાને લઇ ત્રણ તબક્કામાં મંદિરનું નિર્માણ કરવામાં આવશે. જેના પ્રથમ તબક્કામાં મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ અને મંદિરના શિખરની ઊંચાઈ 71.5 ફૂટની કરવાનું કામ હાથ ધરાશે. જેના માટે રૂ.20 કરોડ ફાળવાયા છે. આ સાથે છેલ્લા 8 વર્ષથી ચાલી રહેલા શિખરની ઊંચાઇના વિવાદનો અંત આવ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.