Shaktipeeth Ambaji : મોહનથાળમાં નકલી ઘી વપરાતા હોવાનું સામે આવતા લેવાયો આ નિર્ણય, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-04 15:25:43

અંબાજી મોહનથાળનો વિવાદ ફરી એક વખત વકર્યો છે. થોડા સમય પહેલા મોહનથાળ પ્રસાદ બંધ થવાને કારણે હોબાળો થયો હતો. ભાદરવી પૂનમનો લોકમેળા પહેલા મોહનથાળના સેમ્પલ લેવામાં આવ્યા હતા. મેળો પૂર્ણ થયા બાદ આ રિપોર્ટનું રિઝલ્ટ આવ્યું છે. જેમાં મોહનથાળ મતલબ કે ફૂડ સેમ્પલ ફેલ થયો છે. ભેળસેળ યુક્ત ઘી વાપરવામાં આવ્યું છે તેવો ખુલાસો રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. મોહનથાળ બનાવતી વખતે નકલી ઘી વાપરવામાં આવ્યું હોવાનું સામે આવતા ભક્તોમાં રોષ ભરાયા છે. આ સમાચાર આવ્યા બાદ મંદિર પ્રશાસન દ્વારા આ બાદ મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવ્યો નથી. 

Ambaji Temple: શક્તિપીઠ અંબાજીમાં હવે નહીં મળે મોહનથાળનો પ્રસાદ, ફક્ત સુકો  પ્રસાદ મળશે, ambaji-temple-management-committee-decided-to-stop-mohanthal -prasad-in-ambaji-temple


ભાદરવી પૂનમના મેળામાં લીધો હતો લાખો ભક્તોએ પ્રસાદનો લાભ

ભાદરવી પૂનમનો મેળો થોડા સમય પહેલા પૂર્ણ થયો છે. લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. લાખો ભક્તોએ મોહનથાળનો પ્રસાદ આરોગ્ય છે. આ બધા વચ્ચે એક સમાચાર સામે આવ્યા કે મોહનથાળમાં વપરાતું ઘી નકલી છે. અંબાજીમાંથી ફૂડ વિભાગે થોડાક દિવસો પહેલા લીધેલા ઘીના સેમ્પલ ફેઇલ થયા છે. ભાદરવી મેળા અગાઉ ફૂડ વિભાગે આ તમામ સેમ્પલ લીધા હતા. ખાદ્ય વિભાગે ભાદરવી પૂનમના મેળા અગાઉ જ અંબાજીના મોહિની કેટટર્સમાંથી ઘીના સેમ્પલ લીધા હતા, ફૂડ વિભાગે અહીંથી 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા, અને સેમ્પલને પરીક્ષણ માટે મોકલાયા હતા, જે સેમ્પલ ફેઇલ થયા છે. 

Government announces continuation of Prasad of both Mohanthal and Chiki,  feeling of joy among devotees, leaders receive Divya Bhaskar thanks |  સરકારે મોહનથાળ અને ચીકી બંનેનો પ્રસાદ ચાલુ રાખવાની જાહેરાત ...

મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ કરાયો રદ્દ 

આ સમાચાર સામે આવ્યા બાદ ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો.  આ વિવાદ વધે તે પહેલા જ એક નિર્ણય મંદિર પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે. મોહિની કેટરર્સ સાથેનો કોન્ટ્રાક્ટ રિન્યુ કવરામાં આવ્યો નથી. હાલ પ્રસાદ બનાવવાની કામગીરી મંદિર હસ્તક લઈ લેવામાં આવ્યો છે.  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .

ડોનાલ્ડ ટ્રમ્પએ રેસિપ્રોકલ ટેરીફના અમલીકરણ માટે ૯૦ દિવસનો પ્રતિબંધ મુક્યો છે. તો આ તરફ ઈરાને "પરમાણુ" હથિયારોનો ત્યાગ કરવાની તૈયારી બતાવી છે. અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેંગસેથ પનામા કેનાલની મુલાકાતે ગયા હતા અને તેમણે પનામા કેનાલને ફરી વખત પાછું લેવાની વાત કરી છે. બાંગલાદેશના પીએમ મોહમ્મદ યુનુસ જયારે થોડાક દિવસ પેહલા ચાઇનાની મુલાકાતે ગયા ત્યાં તેમણે ઉત્તર-પૂર્વીય ભારત માટે ખુબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું . હવે ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

ભારત તેની પ્રહારક્ષમતા વધારવા માટે પ્રોજેક્ટ વર્ષાનું અમલીકરણ કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ "ટેરિફ વિસ્ફોટ" પછી "વિઝા ટેરર" ની નીતિ અપનાવી છે. યુએઈના રક્ષા મંત્રી ભારત આવ્યા છે તેમણે ભારત સાથે ખુબ મહત્વના ક્ષેત્રોમાં સહકાર સાધવાનો પ્રયાસ કર્યો છે. તો હવે ઈરાન અને અમેરિકા પરમાણુ ક્ષેત્રે વાર્તાલાપ કરવા તૈયાર છે.

આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.