કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યોને રિપીટ કરવામાં આવશે: શક્તિસિંહ ગોહિલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 16:57:09

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો તેમની રણનિતી તૈયાર કરવામાં લાગી છે. ભાજપના અગ્રણી નેતાઓ આ વખતે  ‘નો રિપીટ થિયરી’હેઠળ વર્તમાન 50 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપવાની જાહેરાત કરી ચૂક્યા છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઈને મોટું નિવેદન આપ્યું છે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, ભાજપ ‘નો રિપીટ થિયરી’માં માને છે. કોંગ્રેસ પક્ષ પણ કોઈ ખાસ કારણ હોય, તો જ ધારાસભ્યોની ટિકિટ કાપે છે, બાકી મોટાભાગના ધારાસભ્યોને રીપીટ કરવામાં આવે છે.


કોંગ્રેસના વર્તમાન MLAને રાહત


શક્તિસિંહે કબૂલ્યું છે કે, કોંગ્રેસ સીટિંગ ધારાસભ્યોની ટિકિટ નહીં કાપે. શક્તિસિંહની આ સ્પષ્ટતાએ કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યોને આડકતરી રીતે જ  તેમની ટિકિટને લઈ સંદેશો આપી દીધો છે. વધુમાં શક્તિસિંહે જણાવ્યું કે, હજુ અમારે તમામ બેઠકો પર ટિકિટના દાવેદારોને સાંભળવાના છે. રાહુલ ગાંધી પણ સતત ભારત જોડો યાત્રાના પ્રવાસે છે. જેના કારણે ઉમેદવારોનો લિસ્ટ જાહેર કરવામાં મોડું થઈ રહ્યું છે.


કોંગ્રેસના નેતાઓની નરેશ પટેલ સાથે બેઠક


આજે રાજકોટ ખાતેથી ‘કોંગ્રેસ કે સાથ માઁ કે દ્વાર’ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યાત્રા બપોરે ખોડલધામ ખાતે પહોંચી હતી, જ્યાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ કોંગ્રેસના આગેવાનોની બંધ બારણે એક બેઠક પણ યોજાઈ હતી. 


ખોડલધામ ખાતે નરેશ પટેલની ઓફિસમાં કોંગ્રેસના આગેવાનોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક લગભગ 30 મિનિટ કરતાં પણ વધુ સમય સુધી ચાલી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોર, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય પ્રતાપ દૂધાત, ધારાસભ્ય લલિત વસોયા, સૌરાષ્ટ્ર પ્રભારી રામકિશન ઓઝા, કોંગ્રેસના આગેવાન અને પાટીદાર નેતા મિતુલ દોંગા હાજર રહ્યાં હતા. કોંગ્રેસ નેતાઓએ હળવા માહોલમાં ખોડલધામ નરેશ પટેલ સાથે બેઠક યોજી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ અગાઉ પણ કોંગ્રેસમાં જવાના અણસાર આપી ચૂક્યા છે. નરેશ પટેલની કોંગ્રેસના આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજતા અનેક તર્કવતર્કો થઈ રહ્યાં છે.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.