ભારતના અનેક રાજ્યોની ધ્રુજી ધરા! જાણો કયા કયા રાજ્યોમાં અનુભવાયા ધરતીકંપના આંચકા?


  • Published By :
  • Published Date : 2023-06-13 16:57:04

એક તરફ દેશના વિવિધ રાજ્યો પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. તો બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી એનસીઆર, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. મંગળવાર બપોરે આ રાજ્યોની ધરા ધ્રુજી હતી. જમ્મુ કાશ્મીરનું ડોડા ધરતીકંપનું કેન્દ્રબિંદુ હતું અને તેની ઉંડાઈ જમીનની 6 કિલોમીટર અંદર નોંધાઈ હતી. ભૂકંપની તીવ્રતા 5.4 રિક્ટર સ્કેલ જેટલી નોંધાઈ હતી. ભારત સિવાય ચીન તેમજ પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મહત્વનું છે કે ઘણા સમયથી ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકાનો અહેસાસ થઈ રહ્યો છે.


આ રાજ્યોમાં અનુભવાયા ધરતીકંપના આંચકા! 

છેલ્લા ઘણા સમયથી દેશના વિવિધ રાજ્યોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આજે દિલ્હી-NCR,જમ્મુ કાશ્મીર, ચંદીગઢ, પંજાબ તેમજ હિમાચલ પ્રદેશમાં ભૂકંપનો અહેસાસ થયો હતો. મંગળવાર બપોરે આ ધરતીકંપનો અહેસાસ થયો હતો. રિક્ટર સ્કેલની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જમ્મુ કાશ્મીર સિવાય પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં પણ ધરતીકંપનો અનુભવ થયો હતો. અચાનક ધરતી ધ્રુજી ઉઠતા લોકો ડરીને ઘરની બહાર આવી ગયા હતા.મહત્વનું છે કે ધરતીકંપને કારણે કોઈ જાનહાનિ થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. તે સિવાય હિમાચલ પ્રદેશની ધરા પણ ધ્રુજી હતી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.