Ahmedabadની કેડી હોસ્પિટલમાં દાખલ છે Shahrukh Khan, ડીહાઈડ્રેશન થતા બગડી તબિયત, જાણો ક્યારે મળી શકે છે રજા?


  • Published By :
  • Published Date : 2024-05-23 14:14:52

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની મેચ રમાઈ.. શાહરૂખ ખાન ટીમ Kolkata Knight Ridersને સપોર્ટ કરવા માટે અમદાવાદ આવ્યા હતા. ગરમીને કારણે તેમની તબિયત ખરાબ થઈ ગઈ અને ખબર આવી કે ગઈકાલે એટલે કે 22 તારીખે તેમને કેડી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા .ડિ-હાઈડ્રેશન થવાને કારણે તેમની તબિયત ખરાબ થઈ હતી તેવી વાત સામે આવી હતી. હાલ તેમની તબિયત સારી છે અને આજ બપોર સુધીમાં તેમને રજા પણ આપી દેવાશે તેવી માહિતી સામે આવી છે.. શાહરૂખ ખાનના પત્ની ગૌરી ખાન તેમજ જૂહી ચાવલા હોસ્પિટલ પહોંચ્યા હતા. 


આજ બપોર સુધીમાં કિંગ ખાનને મળી શકે છે રજા 

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે.. ગઈકાલે અમદાવાદનું તાપમાન 46 ડિગ્રીને નજીક હતું.. આગામી દિવસોમાં પણ ગરમીનું પ્રમાણ વધારે રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.. વધતી ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી રહ્યા છે અને તેમને ડિ હાઈડ્રેશન થઈ રહ્યું છે.. ત્યારે કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન પણ ડિહાઈડ્રેશનના શિકાર બન્યા..તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને હાલ તેમની તબિયત સ્થિર છે તેવી માહિતી સામે આવી છે... બપોર સુધીમાં તેમને રજા પણ મળી શકે છે..     


ગરમીને કારણે લોકો પડી રહ્યા છે બિમાર 

મહત્વનું છે કે ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે.. આટલી ગરમી વધવાને કારણે લોકોની તબિયત બગડી રહી છે, લોકો બિમાર પડી રહ્યા છે. ગરમીથી બચવા માટે અનેક ઉપાયો આપણે કરવા જોઈએ.. કામ વગર ઘરની બહાર ના નિકળવું જોઈએ.. અને જો ઘરની બહાર નિકળવાનું થાય છે તો સાવધાની રાખીને જવું જોઈએ.. ઉપરાંત પાણી પૂરતા પ્રમાણમાં પીવું જોઈએ..    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.