ઈદ નિમિત્તે શાહરૂખ અને સલમાનના ઘર બહાર ઉમટ્યા હજારો ચાહકો, બંને અભિનેતાએ પણ ફેન્સનું કર્યું અભિવાદન


  • Published By :
  • Published Date : 2023-04-22 21:10:06

ભારત સહિત દુનિયાભરમાં આજે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ આજે પણ બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાનને ચાહકોએ શુભેચ્છા પાઠવી હતી.  શાહરૂખ ખાન અને સલમાન ખાનના નિવાસસ્થાનની બહાર મોટી સંખ્યામાં ચાહકો ઉમટ્યા હતા. સલમાન ખાને ગેલેક્સી એપાર્ટમેન્ટ તથા કિંગ ખાને તેના ઘર મન્નતની બાલ્કનીમાં આવીને ચાહકોને શુભકામના પાઠવી હતી. 


હજારોની સંખ્યામાં ચાહકો ઉમટ્યા


ઈદ ઉલ ફિત્રના ખાસ અવસર પર હજારો ચાહકો સવારથી કિંગ ખાનના ઘરની બહાર ઉમટ્યા હતા. ઈદના અવસર પર શાહરૂખ હંમેશાં તેના ફેન્સને મળવા માટે તેના ઘરની બહાર આવે છે. તેની એક ઝલક જોવા માટે સવારથી જ અહીં ચાહકો એકઠા થયા હતા. કિંગ ખાનને જોઈને તેના ફેન્સ ખુશીથી ઊછળી પડ્યા હતા. આ જ પ્રકારે સલમાન ખાને પણ તેના ઘરની બાલ્કનીમાંથી ચાહકોનું હાથ હલાવીને અભિવાદન કર્યુ હતું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે