શાહરૂખની ફિલ્મ "પઠાણ"ને લઈ વિવાદ વકર્યો, અયોધ્યાના મહંતે થિયેટરોને ફૂંકી મારવાની કરી અપીલ


  • Published By :
  • Published Date : 2022-12-15 13:51:29

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણની ફિલ્મને લઈ વિવાદ દિન પ્રતિદિન વધી રહ્યો છે. હવે અયોધ્યાના મહંત રાજુ દાસે આ  ફિલ્મનો બાયકોટ કરવાની અપીલ કરી છે. રાજુ દાસે શાહરૂખ ખાન પર સનાતન ધર્મની મજાક અને હિંદુ દેવી દેવતાઓના અપમાનનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં તેમણે જે પણ થિયેટરમાં ફિલ્મ પઠાણ લાગી હોય તેને ફૂંકી મારવાની હાંકલ કરી હતી.  


પઠાણ ફિલ્મનો વિરોધ શા માટે?


પઠાણ ફિલ્મમાં દીપિકા પદુકોણે ભગવા રંગની બિકિની પહેરી છે. રાજુ દાસે સવાલ કર્યો કે ભગવા રંગની બિકીની પહેરવાની શું જરૂર છે?. શાહરૂખ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે આ બધુ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે જ કરવામાં આવે છે. તેમણે લોકોને જેવા સાથે તેવા થવાની અપીલ કરી હતી.


હિંદુ મહાસભાના અધ્યક્ષે પણ કર્યો વિરોધ


હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણી મહારાજે પણ આ ફિલ્મને લઈ વાંધો ઉઠાવ્યો છે. તેઓ કહે છે કે આ ભગવો રંગ છે અને પઠાણ ફિલ્મમાં તેનું અપમાન કરવામાં આવ્યું છે. પઠાણમાં ભગવાનું અપમાન ભારત સહન નહીં કરે. તેણે કહ્યું- શાહરૂખ ખાન અને દીપિકાની આગામી ફિલ્મ પઠાણમાં જે રીતે ભગવા રંગના કપડા અશ્લીલ રીતે પહેરવામાં આવ્યા છે અને તેને પહેરીને બેશરમ રંગ ગીત ગાયું છે. આ ભગવા અને સનાતન ધર્મનું અપમાન છે. તેમણે કહ્યું, "હું હિંદુ સમુદાયને વિનંતી કરું છું કે પઠાણ ફિલ્મનો બહિષ્કાર કરે.".


મધ્યપ્રદેશમાં ફિલ્મ રિલિઝ નહીં થાય


મધ્યપ્રદેશમાં ફિલ્મ રિલીઝ નહીં થાય, મધ્યપ્રદેશના મંત્રીએ ચેતવણી આપી છે કે જો દીપિકાના કપડાં અને ફિલ્મના કેટલાક સીન બદલવામાં નહીં આવે તો તેઓ તેમના રાજ્યમાં ફિલ્મને રિલીઝ થવા દેશે નહીં. મંત્રી ડૉ. નરોત્તમ મિશ્રાએ કહ્યું- ફિલ્મ પઠાણના ગીતમાં ટુકડે-ટુકડે ગેંગની સમર્થક અભિનેત્રી દીપિકા પાદુકોણનો પોશાક ખૂબ જ વાંધાજનક છે અને ગીત ભ્રષ્ટ માનસિકતા સાથે શૂટ કરવામાં આવ્યું છે. ગીતોના દ્રશ્યો અને કોસ્ચ્યુમમાં સુધારો કરવો જોઈએ, નહીં તો ફિલ્મને મધ્યપ્રદેશમાં મંજૂરી છે કે નહીં તે અંગે વિચારવું પડશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.