Delhiમાં વિકટ બનતું જળસંકટ, પાણીની અછત એટલી સર્જાઈ કે ટેન્કર જોતા જ લોકો પાણી લેવા દોડી પડ્યા, દિલ્હી સરકારે બોલાવી બેઠક..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-31 19:00:03

દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીની ભારે અછત જોવા મળી રહી છે. પાણીની તંગી છે અને લોકોને પીવા માટે ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યાંથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. ટેન્કર જોઈને લોકો તૂટી પડ્યા હતા.. ટેન્કર આવતાની સાથે જ લોકોએ દોટ મૂકી અને ટેન્કરના પાછળ ડોલ અને પાઈપ લઈને લોકો પાણી ભરી રહ્યા છે. પાણીની સમસ્યાને લઈ દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે..

દેશની રાજધાની દિલ્હીમાં પાણી માટે વલખા મારતા લોકો 

આ વખતે દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી વરસી.. દિલ્હીમાં તો તાપમાનનો પારો 50 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો.. એક તરફ આટલી ગરમી હોય તેવા સમયમાં પાણીની કેટલી જરૂર પડે તે આપણે જાણીએ છીએ. પરંતુ જો આપણને પાણી ના મળે તો? મર્યાદિત પાણી હોય અને આખો દિવસ કાઢવાનો હોય ત્યારે શું હાલત થાય તે આપણે વિચારીએ તો પણ કાંપી ઉઠીએ છીએ.. પાણીની તંગીને કારણે પાણીની કટોકટીનો સામનો દિલ્હીની પ્રજા કરી રહી છે.. રાજધાની દિલ્હીના લોકો ગરમીનો માર તો સહન કરી કહ્યા છે પરંતુ ભીષણ ગરમીની સાથે સાથે પાણીની સમસ્યાનો સામનો પણ  લોકો કરી રહ્યા છે. 

જળસંકટને લઈ દિલ્હી સરકારે બોલાવી છે ઈમરજન્સી બેઠક 

દિલ્હીના અનેક વિસ્તારો એવા છે જ્યાં પાણીની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે... પાણી પહોંચાડવા માટે ટેન્કરનો ઉપયોગ કરવો પડી રહ્યો છે..  દિલ્હીથી અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં ટેન્કર જોતાની સાથે જ લોકો દોડી રહ્યા છે.. જે પણ વાસણ મળ્યું તેને લોકો લઈ જઈ રહ્યા છે પાણી ભરવા માટે.. પાણીની એટલી બધી તંગી સર્જાઈ છે કે પાણીની સમસ્યાને લઈ દિલ્હી સરકારે બેઠક બોલાવી છે.. ન્યુઝ એજન્સી એએનઆઈએ ગીતા કોલોનીનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં પાણી માટે લોકો કેવી પડાપડી કરી રહ્યા છે તે દેખાઈ જાય છે.  


શા માટે દિલ્હીમાં સર્જાઈ જળસંકટની સમસ્યા?

દિલ્હીમાં જળસંકટ કેમ સર્જાયું તેની વાત કરીએ તો એક કારણ છે ભીષણ ગરમી.. ભીષણ ગરમીને કારણે પાણીની માગ વધી છે.. વસ્તી પ્રમાણે પાણીની જેટલી આવક હોવી જોઈએ તેટલી આવક નથી.. બીજી કારણ એ પણ છે કે દિલ્હી પાસે પાણીનો કોઈ જળસ્ત્રોત નથી. પાડોશી રાજ્ય પર પાણી માટે દિલ્હીને નિર્ભર રહેવું પડે છે.. મહત્વનું છે કે બીજા રાજ્યમાં પણ ગરમીને કારણે પાણીની માગમાં વધારો આવ્યો છે. બીજા રાજ્યો પણ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જળસંકટને લઈ ભાજપ પાસેથી મદદ માગી છે..   



લોકસભાની ચૂંટણી પછી સૌથી પહેલો સવાલ હતો કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? આ સવાલનો જવાબ આજે અથવા તો કાલે મળી જશે કારણ કે 4-5મી જુલાઈએ એટલે આજે અને આવતી કાલે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક સાળંગપુરમાં મળવાની છે. આ બેઠકમાં નવા અધ્યક્ષના નામ પર મોહર લાગી શકે છે..

ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી એટલો વિકાસ થયો કે છેક રોડ રસ્તામાં બસ આખી ખાડામાં સમાય શકે છે... મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ગુજરાતમાં કરી અને સ્માર્ટસિટીના દાવા એ જ વરસાદી પાણીમાં ધોવાય ગયા

બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે ગુરુવારે મતદાન યોજાવાનું છે. બ્રિટનમાં 14 વર્ષથી સત્તા પર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી અને પીએમ ઋષિ સુનક માટે આ ચૂંટણી એક અગ્નિપરીક્ષા સમાન છે. કારણ કે મોટા ભાગના સરવેમાં પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, વિપક્ષી લેબર પાર્ટી 2010 પછી સત્તામાં વાપસી કરે તેવી સંભાવનાઓ રહેલી છે.

મહાભારતનું યુદ્ધ ચાલતું હોય અને રણમેદાનમાંથી ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનો ઉપદેશ્ય આપે.. કાલિદાસજીના ભોજ પત્રોને ફેંદીએ તો તેમાંથી કવિતા નીકળે.. જનક રાજા હળ ચલાવે તો જમીનમાંથી સીતાજી મળે..