કાગવડ ખાતે યોજાયો ખોડલધામનો સાતમો પાટોત્સવ, નવા ટ્રસ્ટીઓની કરાઈ વરણી


  • Published By :
  • Published Date : 2023-01-21 12:51:01

રાજકોટના કાગવડ ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ખોડલધામની પ્રાણપ્રતિષ્ઠાના 6 વર્ષ પૂર્ણ થવાના આનંદમાં ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં પાટીદારોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના અનેક રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટી મંડળમાં નવા 51 ટ્રસ્ટીને ઉમેરવામાં આવ્યા છે જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના દીકરી અનાર પટેલનો સમાવેશ થાય છે. અનાર પટેલ ખોડલધામના ટ્રસ્ટી બની ગયા છે. 


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ધ્વજારોહણ

કાગવડ ખાતે ખોડલધામનો પાટોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ ધામે સાતમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. આ નિમીત્તે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખોડલધામ પહોંચ્યા હતા. માતાજીના દર્શન કર્યા બાદ મા ખોડલને ધજા ચડાવી હતી. 



 

મોટી સંખ્યામાં પાટીદારો રહ્યા ઉપસ્થિત

આ મહોત્સવમાં મોટી સંખ્યામાં પાટીદાર અગ્રણીઓ હાજર રહ્યા હતા જેમાં કેડીલા ગ્રુપના માલિક બિપિન પટેલ, કાળુભાઈ ઝાલાવાડિયા, નિરમા ગ્રુપના કરશન પટેલ સહીતના આગેવાનો હાજર રહ્યા હતા. લેઉવા પાટીદારના કૂળદેવી ખોડલધામ ખાતે મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા હતા. નરેશ પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે ખોડલધામ માત્ર મંદિર નહીં એક વિચાર છે. વિશ્વનું પહેલું એવું મંદિર છે કે જ્યાં રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે.       



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.