કાગવડ ખાતે યોજાયો ખોડલધામનો સાતમો પાટોત્સવ, નવા ટ્રસ્ટીઓની કરાઈ વરણી


  • Published By :
  • Published Date : 2023-01-21 12:51:01

રાજકોટના કાગવડ ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ખોડલધામની પ્રાણપ્રતિષ્ઠાના 6 વર્ષ પૂર્ણ થવાના આનંદમાં ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં પાટીદારોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના અનેક રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટી મંડળમાં નવા 51 ટ્રસ્ટીને ઉમેરવામાં આવ્યા છે જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના દીકરી અનાર પટેલનો સમાવેશ થાય છે. અનાર પટેલ ખોડલધામના ટ્રસ્ટી બની ગયા છે. 


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ધ્વજારોહણ

કાગવડ ખાતે ખોડલધામનો પાટોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ ધામે સાતમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. આ નિમીત્તે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખોડલધામ પહોંચ્યા હતા. માતાજીના દર્શન કર્યા બાદ મા ખોડલને ધજા ચડાવી હતી. 



 

મોટી સંખ્યામાં પાટીદારો રહ્યા ઉપસ્થિત

આ મહોત્સવમાં મોટી સંખ્યામાં પાટીદાર અગ્રણીઓ હાજર રહ્યા હતા જેમાં કેડીલા ગ્રુપના માલિક બિપિન પટેલ, કાળુભાઈ ઝાલાવાડિયા, નિરમા ગ્રુપના કરશન પટેલ સહીતના આગેવાનો હાજર રહ્યા હતા. લેઉવા પાટીદારના કૂળદેવી ખોડલધામ ખાતે મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા હતા. નરેશ પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે ખોડલધામ માત્ર મંદિર નહીં એક વિચાર છે. વિશ્વનું પહેલું એવું મંદિર છે કે જ્યાં રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે.       



રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.