માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સેશન્સ કોર્ટે આપી મોટી રાહત, રાહુલ ગાંધીના જામીન કર્યા મંજૂર, જાણો હવે ક્યારે હાથ ધરાશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-04-03 15:53:06

સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી. જેને લઈ પુર્ણેશ મોદીએ માનહાનિનો કેસ કર્યો હતો. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી છે ઉપરાંત દંડ પણ ફટકાર્યો હતો. જે બાદ સુરતની સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધી દ્વારા આ મામલે અપીલ કરવામાં આવી હતી. સુરત ખાતે રાહુલ ગાંધી આવ્યા હતા. પ્રિયંકા ગાંધી,અશોક ગેહલોત ઉપરાંત અનેક કોંગ્રેસી નેતાઓ સુરત ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા છે. આ મામલે આગળની સુનાવણી 3 મેના રોજ હાથ ધરવામાં આવશે. જ્યારે રાહુલ ગાંધીના જામીન 13 એપ્રિલ સુધી લંબાવાયા છે.

   

પ્રિયંકા ગાંધી પણ રાહુલ ગાંધી સાથે પહોંચ્યા હતા સુરત

રાહુલ ગાંધીએ 2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન મોદી સરનેમને લઈ એક નિવેદન આપ્યું હતું. જે બાદ રાહુલ ગાંધી વિરૂદ્ધ પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ત્યારે થોડા દિવસો પહેલા સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી ઉપરાંત દંડ પણ ફટકાર્યો હતો. આ સજા બાદ રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ્દ્ કરવામાં આવી હતી. ઉપરાંત સરકારી બંગલો પણ ખાલી કરવા આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે આ વાતને લઈ કોંગ્રેસ દ્વારા અનેક જગ્યાઓ પર વિરોધ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી સુરત આવવાના હતા જેને લઈ કોંગ્રેસના નેતાઓ સુરત ખાતે આવી પહોંચ્યા હતા. રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી પણ સુરત આવ્યા હતા. ઉપરાંત અશોક ગેહલોત પણ સુરત ખાતે ઉપસ્થિત હતા. સ્થાનિક નેતાઓ  ઉપરાંત સુરતમાંદિલ્હીના નેતાઓનો જમાવડો પણ જોવા મળ્યો હતો. 13 એપ્રિલના રોજ આ મામલે આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે.ગુજરાતના અનેક વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક જગ્યાઓ પર પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે.       

  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!