Varanasiમાં ગંભીર રોડ અકસ્માત, કાર અને ટ્રક વચ્ચે ટક્કર, ગયા આટલા લોકોના જીવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-04 14:54:37

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત એક્સિડન્ટને કારણે થયા છે. અનેક લોકો કાળનો કોળિયો બની રહ્યા છે. ત્યારે વારાણસીના ફૂલપુર પોલીસ સ્ટેશનના કરખિરાંવ પાસે કાર અને ટ્રક સાથે ગંભીર અકસ્માત સર્જાયો છે. કાર અનિયંત્રિત થઈ ગઈ અને ટ્રક સાથે તેની જોરદાર ટક્કર થઈ. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. એવી માહિતી સામે આવી છે કે મૃતકો પીલીભીતના રહેવાસી હોવાનું મનાઈ રહ્યું છે. આ દુર્ઘટના વહેલી સવારે બની છે અને આ અકસ્માતમાં એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે. 

વારાણસીમાં ભીષણ અકસ્માત, અનિયંત્રિત કાર ટ્રક સાથે અથડાતા આઠ લોકોના  ઘટનાસ્થળે મોત - Fatal accident in Varanasi, eight people died on the spot  after an uncontrolled car collided with a truck

રોડ અકસ્માતમાં થયા 8 લોકોના મોત

વારાણસીમાં ભીષણ રોડ અકસ્માત સર્જાયો છે જેમાં કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ છે. બંને વાહનો વચ્ચે એટલી ભયંકર ટક્કર થઈ હતી કે આ ઘટનામાં 8 લોકોના મોત થયા હતા. આ અકસ્માતને લઈ મળતી માહિતી અનુસાર તમામ લોકો કાશી ગયા બાદ બનારસથી જૌનપુર જઈ રહ્યા હતા. તે વખતે તેઓ કાળનો કોળિયો બન્યા છે. વહેલી સવારે લગભગ 4.30 વાગ્યાની આસપાસ એક ઝડપી એર્ટીગા કાર એક ટ્રક સાથે ટક્કર થઈ હતી. તમે વિચારી શકો છો કે ટક્કર કેટલી ભીષણ હશે કે 8 લોકોના મોત થઈ ગયા છે. 


યોગી આદિત્યનાથે શોક કર્યો વ્યક્ત

ઉત્તરપ્રદેશમાં સર્જાયેલા અકસ્માતને પગલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના જીવને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી છે. જે લોકોના મોત થયા છે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘાયલો જલ્દી સાજા તેવી પ્રાર્થના કરવામાં આવી છે. 

વારાણસીમાં ભીષણ અકસ્માત: 8ના મોત ફકત એક બાળક જ બચ્યું - Sanj Samachar

અકસ્માતમાં અનેક પરિવારોએ ગુમાવ્યા છે સ્વજન 

અકસ્માત બાદ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી દેવામાં આવ્યા છે. એવી પણ માહિતી સામે આવી છે કે આ અકસ્માતમાં માત્ર એક જ બાળકીનો જીવ બચ્યો છે. ગમખ્વાર અકસ્માતને કારણે અરેરાટી વ્યાપી ઉઠી છે. મહત્વનું છે કે અનેક લોકોએ પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.