વાત આજે પાકિસ્તાનના એક એવા પ્રાંતની કરવી છે જે પાકિસ્તાનની આઝાદીથી જ હિંસક અલગાવવાદી આંદોલનનો સામનો કરી રહ્યું છે. જે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું છે ઉપરાંત ખનીજ અને પેટ્રોલિયમની દ્રષ્ટિએ પણ ખુબ સંપન્ન છે . આ રાજ્ય છે બલુચિસ્તાન .
બલુચિસ્તાનની સરહદ અફઘાનિસ્તાન અને ઈરાન સાથે લાગે છે . તેની રાજધાનીનું નામ છે કવેટા.
૧૯૪૮થી જ અહીં એક આઝાદ બલુચિસ્તાન રાષ્ટ્ર માટે રાષ્ટ્રવાદી હિંસક આંદોલન ચાલુ છે .
તે વખતે બલુચિસ્તાનમાં ચાર મુખ્ય કબીલાઓ હતા તેમના નામ મકરાન , લાસ બેલા , ખારન અને કલાત. આ ચારે ચાર કબીલાઓ બ્રિટિશરોને વફાદાર હતા. આ બધા જ કબીલાઓમાં કલાત સૌથી વધારે તાકાતવર હતું . બાકીના ત્રણ કબીલાઓ કલાતના મુખ્યા આગળ વફાદારી પણ બતાવતા હતા .
જેવો જ બ્રિટિશરોના ભારતમાંથી વિદાય લેવાનો સમય આવ્યો , "અહેમદ યાર ખાન" કે જે કલાતના છેલ્લા ખાન હતા તેમણે આઝાદ બલુચિસ્તાન પ્રાંતની વકીલાત શરુ કરી .
અહેમદ યાર ખાનને આશા હતી કે તેમની મોહમ્મદ અલી જિન્નાહ સાથે સારી મિત્રતા છે તેના લીધે તેમને એક અલગ આઝાદ બલુચિસ્તાન મળશે અને પાકિસ્તાન સાથે જોડાવું નઈ પડે.
આ વસ્તુ સફળ થતી ત્યારે દેખાઈ જયારે પાકિસ્તાને તેમની સાથે ૧૧ ઓગસ્ટ , ૧૯૪૭ના રોજ એક સંધિ કરી . તે સમયે તેમની પર કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં ના આવ્યું .
પણ વાંધો બ્રિટિશરોએ પડ્યો જયારે તેમને પાકિસ્તાનની પશ્ચિમી સરહદે સોવિયેત યુનિયનના આક્રમણનો ડર લાગ્યો અને માટે જ તેઓ આઝાદ બલુચિસ્તાનના વિરોધી બન્યા .
સ્થિતિ ત્યારે બગાડી જયારે કલાત સિવાયના બાકીના ત્રણ કબીલા મકરાન , લાસ બેલા અને ખારને પાકિસ્તાન સાથે બલૂચિસ્તાનને ભેળવી દેવાની વાત કરી . આ પછી ઓક્ટોબર , ૧૯૪૭થી પાકિસ્તાને બલૂચિસ્તાનને પાકિસ્તાનમાં ભેળવી દેવા દબાણ શરુ કર્યું .
ત્યારબાદ ૧૯૪૮ની માર્ચની ૧૭ તારીખથી પાકિસ્તાને બલુચિસ્તાનના આ ત્રણ કબીલાઓ મકરાન , લાસ બેલા અને ખારન સાથે ટ્રીટી ઓફ એકસેશન પર હસ્તાક્ષર કરીને બલૂચિસ્તાનનો પાકિસ્તાનમાં વિલય કર્યો . કલાત કબીલો એકલો પડી ગયો .
તે સમયે ઓલ ઇન્ડિયા રેડીઓ પર અફવા ફેલાઈ કે કરાત કબીલાના અહેમદ યાર ખાન એ બલૂચિસ્તાનને ભારત સાથે ભેળવી દેવા માંગે છે . આ અફ્વાના લીધે પાકિસ્તાની સેનાએ માર્ચ ૨૬ , ૧૯૪૮ના રોજ બલુચિસ્તાનમાં આર્મી મોકલી બળજબરી પૂર્વક બલૂચિસ્તાનનું પાકિસ્તાનમાં વિલીનીકરણ થયું.
૧૯૪૮ના જુલાઈ મહિનામાં તો બલુચિસ્તાનમાં હિંસક દેખાવો શરુ થઇ ગયા . અહેમદ યાર ખાનના ભાઈ પ્રિન્સ અબ્દુલ કરીમે આ વિલીનીકરણના વિરુદ્ધમાં " આઝાદી માટેની લડાઈ" શરુ કરી દીધી .
આવી રીતે આ આખી લડાઈ છેલ્લા ઘણા દાયકાઓથી ચાલી રહી છે .
૧૯૪૮ , ૧૯૫૮-૫૯ , ૧૯૬૨-૬૩ , ૧૯૭૩-૭૭ અને હાલમાં ૨૦૦૩થી આ હિંસક આંદોલન હજી ચાલુ છે .
પાકિસ્તાની સેનાએ આ લડાઈને દબાવવા હિંસક રીતે દમન કર્યું . પાકિસ્તાની સેના પર અપહરણ , ત્રાસ , ખોટી ધરપકડના અને જ્યુડિશિયલ ડેથના ઘણા આરોપો લાગ્યા છે . એક અંદાજ પ્રમાણે ૧૯૪૮થી હજારો લોકો આ આઝાદ બલૂચિસ્તાનની લડાઈમાં મોતને ભેટ્યા છે .
હવે તો બલુચ લિબરેશન આર્મી અને બલુચ લિબરેશન ફ્રન્ટ એ તેહરીકે - તાલિબાન - પાકિસ્તાન (TTP ) અને ઇસ્લામિક સ્ટેટ સાથે સંપર્કમાં છે આ TTP હાલના સમયમાં પાકિસ્તાનમાં મોટાભાગના આતંકવાદી હુમલોઓ માટે જાણીતું છે .
પાકિસ્તાની સરકાર અને સેના આ બલુચ આદિવાસીઓ સાથે ખુબ જ ભેદભાવ ભર્યો વ્યવહાર કરે છે કેમ કે , પાકિસ્તાનની બ્યુરોક્રેસી પર પંજાબી મુસ્લિમોનું મોટું પ્રભુત્વ છે .
જ્યારથી આ બલુચિસ્તાનમાં ચાઇના દ્વારા ગ્વાદર બંદરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારથી આ બલુચ લોકો આર્થિક અન્યાયનો પણ સામનો કરી રહ્યા છે . આ પ્રોજેક્ટ માટે પંજાબી અને સિંધી એન્જિન્યરોની મોટા પાયે ભરતી કરાય છે જયારે સ્થાનિક બલુચ લોકોને કોઈ પણ તક મળતી નથી . આ કારણે બલુચ લિબરેશન આર્મી એ ચાઈનીઝ અધિકારીઓને પણ ટાર્ગેટ કરતા રહે છે .
જો તમને બલુચિસ્તાન વિશે વધારે જાણવું હોય તો તમે ભારત સરકારના એક IAS અધિકારી તિલક દેવાશેરની બુક "પાકિસ્તાન ધ બલુચિસ્તાન કોનનડ્રમ" વાંચી શકો છો જેમાં તમને વધારે રોચક માહિતી મળશે .
બલુચિસ્તાન વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો .
જો તમે અમને યૂટ્યૂબ પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો , ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો .