કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટિલે લવ જેહાદને લઈ આપ્યું છે વિવાદિત નિવેદન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 11:57:28

દેશમાં હાલ સૌથી વિવાદીત મુદ્દો હોય તો તે છે લવ જેહાદનો મુદ્દો. લવ જેહાદને લઈ રાજકારણ ગરમાઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટિલે વિવાદીત નિવેદન આપ્યું છે. ભગવદ્ ગીતા પર અપાયેલા નિવેદન પર વિવાદ છેડાઈ ગયો છે. પુસ્તક વિમોચનમાં હાજરી આપતા તેમણે કહ્યું કે જેહાદ માત્ર કુરાનમાં નહીં પરંતુ ગીતામાં પણ છે. ગીતામાં પણ શ્રીકૃષ્ણએ અર્જુનને જેહાદનો પાઠ ભણાવ્યો છે. 

જેહાદ માત્ર કુરાનમાં નહીં પરંતુ ગીતામાં પણ છે - શિવરાજ પાટિલ 

જેહાદને કારણે એક બાદ એક વિવાદો સર્જાઈ રહ્યા છે. એકબાદ એક નેતાઓના નિવેદનો આવવાથી રાજકારણ ગરમાતું રહે છે, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટિલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે જ્યારે તમામ પ્રયાસો પછી પણ સારા વિચારોને કોઈ નથી સમજતું ત્યારે શક્તિનો ઉપયોગ કરવો પડે છે. જેહાદ માત્ર કુરાનમાં નહીં પરંતુ ગીતામાં પણ છે. ગીતામાં પણ શ્રીકૃષ્ણએ અર્જુનને જેહાદનો પાઠ ભણાવ્યો છે. જેહાદ માત્ર કુરાનમાં નહીં પરંતુ ગીતામાં પણ છે.


જીસસમાં પણ જેહાદ છે - પાટિલ    

ખ્રિસ્તી ધર્મ પર પણ તેમણે પ્રહાર કર્યા હતા કે અને કહ્યું હતું કે તેઓ માત્ર શાંતિ સ્થાપવા માટે આવ્યા નથી. તેઓ તલવાર પણ સાથે લાવ્યા છે. તેથી બધુ જ સમજ્યા પછી પણ કોઈ હથિયાર લઈને આવે તો તમે ભાગી શકો નહીં. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.