કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટિલે લવ જેહાદને લઈ આપ્યું છે વિવાદિત નિવેદન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 11:57:28

દેશમાં હાલ સૌથી વિવાદીત મુદ્દો હોય તો તે છે લવ જેહાદનો મુદ્દો. લવ જેહાદને લઈ રાજકારણ ગરમાઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટિલે વિવાદીત નિવેદન આપ્યું છે. ભગવદ્ ગીતા પર અપાયેલા નિવેદન પર વિવાદ છેડાઈ ગયો છે. પુસ્તક વિમોચનમાં હાજરી આપતા તેમણે કહ્યું કે જેહાદ માત્ર કુરાનમાં નહીં પરંતુ ગીતામાં પણ છે. ગીતામાં પણ શ્રીકૃષ્ણએ અર્જુનને જેહાદનો પાઠ ભણાવ્યો છે. 

જેહાદ માત્ર કુરાનમાં નહીં પરંતુ ગીતામાં પણ છે - શિવરાજ પાટિલ 

જેહાદને કારણે એક બાદ એક વિવાદો સર્જાઈ રહ્યા છે. એકબાદ એક નેતાઓના નિવેદનો આવવાથી રાજકારણ ગરમાતું રહે છે, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટિલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે જ્યારે તમામ પ્રયાસો પછી પણ સારા વિચારોને કોઈ નથી સમજતું ત્યારે શક્તિનો ઉપયોગ કરવો પડે છે. જેહાદ માત્ર કુરાનમાં નહીં પરંતુ ગીતામાં પણ છે. ગીતામાં પણ શ્રીકૃષ્ણએ અર્જુનને જેહાદનો પાઠ ભણાવ્યો છે. જેહાદ માત્ર કુરાનમાં નહીં પરંતુ ગીતામાં પણ છે.


જીસસમાં પણ જેહાદ છે - પાટિલ    

ખ્રિસ્તી ધર્મ પર પણ તેમણે પ્રહાર કર્યા હતા કે અને કહ્યું હતું કે તેઓ માત્ર શાંતિ સ્થાપવા માટે આવ્યા નથી. તેઓ તલવાર પણ સાથે લાવ્યા છે. તેથી બધુ જ સમજ્યા પછી પણ કોઈ હથિયાર લઈને આવે તો તમે ભાગી શકો નહીં. 




જ્યારે તે આશાઓ પર પાણી ફરી જાય ત્યારે? જ્યારે સપના પૂરા કરવા માટે આંદોલનો કરવા પડે ત્યારે? જ્યાં સુધી વાત કરવાની હોય છે ત્યાં સુધી આપણને બધું સહેલું લાગે પરંતુ જ્યારે તે વાસ્તવિક્તા આપણે જોઈએ ત્યારે ખબર પડે કે કેટલો સંઘર્ષ કરવો પડતો હોય છે આ જગ્યા પર પહોંચવા માટે...

કહેવાતી દારૂબંધીના ધજાગરા ઉડતા તમે અવાર નવાર જોયા હશે, પરંતુ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અનેક દારૂની બોટલો મળી આવી હતી.

જમ્મુ કાશ્મીરને લઈ કોંગ્રેસ પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતના બે નેતાના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.. એક છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને બીજા છે જિગ્નેશ મેવાણી.. ગુજરાતના આ બંને નેતાઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત આપી છે.. કોર્ટે તેમના જામીન મંજૂર કરી દીધા છે અને હવે અરવિંદ કેજરીવાલ જેલ મુક્ત થઈ ગયા છે. દિલ્હી લિકર પોલિસી કેસમાં 177 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે અરવિંદ કેજરીવાલ પણ કેટલીક શરતો સાથે..