Chotta Udaipurથી સામે આવ્યા એવા દ્રશ્યો જેને જોઈ તમે પણ કહેશો શું આવી રીતે ભણશે Gujarat? જુઓ ભણવા માટે સંઘર્ષ કરતા દેશના ભાવિને...


  • Published By :
  • Published Date : 2023-08-03 10:12:32

ગુજરાતને વિકાસના મોડલ તરીકે દેશભરમાં તેમજ વિશ્વમાં પ્રસ્થાપિત કરવામાં આવતું હોય છે. દરેક જગ્યાઓ પર ગુજરાત મોડલનું ઉદાહરણ આપવામાં આવતું હોય છે. સર્વ શિક્ષા અભિયાનની વાતો કરવામાં આવે છે, અનેક એવી યોજનાઓ જે પેપર પર સો ટકા પૂર્ણ થઈ ગઈ હોય છે પરંતુ વાસ્તવિક્તા કંઈક અલગ હોય છે. એવા એનક ઉદાહરણો આપણી સામે છે. યોજનાઓ જ્યાં સુધી છેવાડાના ગામમાં વસતા લોકો સુધી નથી પહોંચતી ત્યાં સુધી તે યોજના 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે તે માનવું અશક્ય છે. અમે વાત કરી રહ્યા છીએ સર્વ શિક્ષા અભિયાનની.. 

છકડાની પાછળ અને કેરિયર પર બેસીને વિદ્યાર્થીઓ જીવના જોખમે સ્કૂલે જઈ રહ્યા છે.

વાસ્તવિક્તા બતાવવાનો અમારો છે પ્રયાસ 

અનેક લોકોને લાગતું હોય છે કે અમારે ત્યાં નેગેટિવ સમાચારો બતાવવામાં આવે છે, વાત એકદમ ખોટી પણ નથી, અમે નેગેટિવ સમાચારો નહીં પરંતુ વાસ્તવિક્તા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. સારી વાતો તો અનેક માધ્યમો થકી તમારા સુધી પહોંચતી હશે પરંતુ ઘટનાનું જે બીજું પાસુ હોય છે તે પહોંચાડવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અસલિયત અનેક વખત જે દર્શાવવામાં આવતું હોય છે તેનાથી વિપરીત પણ હોઈ શકે છે.

અભ્યાસ માટે જીવના જોખમે વિદ્યાર્થીઓ કરે છે મુસાફરી 

શિક્ષણનો મુદ્દો અમે અનેક વખત ઉઠાવ્યો છે. કારણ કે જો ભાવિનું ભવિષ્ય ખતરામાં હશે તો દેશનું ભવિષ્ય કેવી રીતે સુરક્ષિત હશે? અમે અનેક વખત એવું પણ કહ્યું છે કે ગામડાના વિદ્યાર્થીઓમાં કંઈક કરી બતાવવાની, પોતાને સાબિત કરવાનો એક સ્પાર્ક તેમનામાં હોય છે. ભણવા માટે તેમને એટલો સંઘર્ષ કરવો પડતો હોય છે જે શહેરમાં વસતા લોકોને તેમજ વિદ્યાર્થીને કદાચ ખ્યાલ પણ નહીં આવે. ગામડાઓમાં અભ્યાસ કરી શકે તેવી શાળાઓ હોતી નથી. જેને કારણે અનેક કિલોમીટર દૂર તેમને ભણવા જવું પડતું હોય છે. અનેક એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં જીવના જોખમે વિદ્યાર્થીઓ શાળાએ પહોંચતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં છકડામાં ઘેંટાની જેમ બાળકોને ભર્યા છે. રિક્ષાની ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓ હોવાને કારણે તેમના જીવ પર જોખમ તોડાતું રહે છે. આ વીડિયો છોટા ઉદેપુરનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. 


જે વાહન મળે તેમાં બેસી શાળાએ પહોંચવું વિદ્યાર્થીનું છે લક્ષ્ય!

વીડિયો જોઈ આપણને મનમાં થતું હશે કે છડકાવાળાને કેટલી લાલચ છે કે તે આટલા વિદ્યાર્થીઓના જીવને જોખમમાં નાખે છે. પરંતુ આમાં પણ વાસ્તવિક્તા કંઈક અલગ હોઈ શકે છે. છકડાવાળાએ કદાચ વિદ્યાર્થીઓનું સારૂં પણ વિચાર્યું હોય. ગામડાઓમાં કલાકોમાં એક કદાચ બસ આવતી હોઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે શાળાએ જવું ખૂબ જરૂરી છે. બસ નહીં તો જે વાહન મળે તેમાં બેસી જવું તે તેમના માટે મહત્વનું છે. 


આ વિદ્યાર્થીઓનો સંઘર્ષ કદાચ આપણે નહીં સમજી શકીએ... 

છકડામાં લટકીને જતા વિદ્યાર્થી માટે જીવ કરતા અભ્યાસ મહત્વનો છે.  શિક્ષા તે બાળકો માટે પ્રાથમિક્તા છે પરંતુ તેમની પ્રાથમિક્તા માટે બોલનારૂં કોઈ નથી. ભણવા માટે ગામડાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતો સંઘર્ષ, તેમની પીડાને કદાચ આપણે નહીં સમજી શકીએ કારણ કે આપણને તે બધું ખૂબ આસાનીથી મળ્યું છે. આસાનીથી મળેલી વસ્તુની કિંમત કરતા કદાચ આપણે નથી શીખ્યા. 




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.