જુઓ વાવાઝોડા બાદ સર્જાયેલી તારાજીની તસવીરો, જમાવટનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ


  • Published By :
  • Published Date : 2023-06-17 17:05:17

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતમાં ભારે નુકસાની સર્જાઈ છે. અનેક વૃક્ષો ધરાશાયી થયા છે જ્યારે અનેક વીજ થાંભલાઓ પડી ગયા છે. ભારે પવન ફૂંકાવવાને કારણે અનેક છાપરાઓ ઉડી ગયા હતા. ચક્રવાતને કારણે અનેક લોકોએ પોતાના ઘરને ગુમાવ્યા છે. ત્યારે જોઈએ વાવાઝોડાએ સર્જેલી તારાજીની તસવીરોને.    



વાવાઝોડાનું સંકટ ગુજરાત પર મંડરાતું હતું. કચ્છ, દ્વારકા સહિતના વિસ્તારોમાં વાવાઝોડાને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તંત્ર પણ સજ્જ હતું. ત્યારે બિપોરજોય વાવાઝોડાને કારણે ભારે નુકસાની થઈ છે. જખૌ, નલિયા સહિતના વિસ્તારોથી ભારે નુકસાનીની તસવીરો સામે આવી છે. 

 

ભારે વરસાદ તેમજ પવનને કારણે અનેક જગ્યાઓ પર દિવાલ ધરાશાયી થઈ છે. અનેક વિસ્તારોમાં દિવાલ પડી જવાને કારણે દુર્ઘટના સર્જાઈ છે. 





21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.