જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોને મળી મોટી સફળતા! રાજૌરીમાં આતંકવાદીનું થયું એન્કાઉન્ટર! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-02 11:15:29

જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત સુરક્ષાબળો દ્વારા એન્ટાઉન્ટર કરવામાં આવ્યું છે તેવા સમાચાર સામે આવ્યા છે. જમ્મુના રાજૌરી જિલ્લામાં સુરક્ષાબળોએ બે આતંકીને ઠાર માર્યા છે. 2 જૂન એટલે કે આજે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. સુરક્ષાબળોને આતંકી છૂપાયા હોવાની માહિતી મળી જે બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને મળતી માહિતી અનુસાર એક આતંકીને ઠાર કરી દેવામાં આવ્યો છે.

     

એક આતંકવાદીને ઠાર મરાયો!

જમ્મુ કાશ્મીરથી અનેક વખત આતંકી હમુલા થયા હોવાની માહિતી મળતી હોય છે.આતંકી હુમલામાં અનેક જવાનો શહીદ થઈ જતા હોય છે. થોડા સમય પહેલા આતંકીહુમલો થયો હતો જેમાં પાંચ જેટલા જવાનો શહીદ થયા હતા. ત્યારે આતંકવાદીઓ છૂપ્યા હોવાની માહિતી સુરક્ષાબળોને મળી હતી. જેને લઈ પહેલી જૂને મોડી રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા બળો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેની જવાબી કાર્યવાહીમાં સુરક્ષાબળોને સફળતા મળી છે. ફાયરિંગ દરમિયાન એક આતંકી માર્યા હોવાના સમાચાર મળ્યા છે. 


અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખી વધારાઈ સુરક્ષા!

મહત્વનું છે કે થોડા સમય બાદ અમરનાથ યાત્રાની શરૂઆત થવાની છે. યાત્રાને લઈ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. અમરનાથ યાત્રામાં આવતા શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. યાત્રાને જોતા શ્રીનગર પોલીસે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ કરી હતી અને સુરક્ષા વ્યવસ્થાની તપાસ પણ કરી હતી. સુરક્ષા બળ અને આતંકવાદી વચ્ચે થયેલી ગોળીબારીને ધ્યાનમાં રાખી એરિયાને સીલ કરી દીધો છે.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.