જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળને મળી મોટી સફળતા, 3 આતંકવાદીઓનો કરાયો ખાતમો


  • Published By :
  • Published Date : 2022-12-20 16:09:20

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ થઈ છે. શોપિયાં વિસ્તારમાં સુરક્ષાબળોએ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. મળતી માહિતી મુજબ શોપિયાંના મુંઝ માર્ગ વિસ્તારમાં આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં 3 આતંકવાદીઓના મોત થયા છે. અથડામણ થતાં સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી છે.


અથડામણમાં 3 આતંકવાદીના મોત

આતંકવાદીઓ અને સુરક્ષાબળોની વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં અનેક વખત અથડામણ થતી હોય છે. અથડામણમાં કોઈ વખત આતંકવાદી માર્યો જાય છે, કોઈ વખત સ્થાનિકના મૃત્યુ થાય છે તો ક્યારેક દેશની રક્ષા કરતા જવાનો શહિદ થાય છે. ત્યારે આજે ફરી એક વખત જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકી અને સુરક્ષાબળ વચ્ચે અથડામણ થઈ હતી. મળતી માહિતી અનુસાર 3  આતંકવાદીઓ આ ઘટનામાં માર્યા ગયા છે. મરેલા આંતકવાદીઓમાંથી બેની ઓળખ થઈ ગઈ છે. મૃત્યુ પામેલામાંથી એક આતંકવાદી કાશ્મીરી પંડિતની હત્યામાં સામેલ હતો. 


સમગ્ર વિસ્તારની વધારાઈ સુરક્ષા

મળતી માહિતી અનુસાર સુરક્ષાબળોને આતંકી છૂપાયેલા હોવાની જાણકારી મળી હતી. જેને લઈ સુરક્ષાબળોએ શોપિયાના મુંઝ માર્ગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ ઓપરેશનમાં 3 આતંકીઓને ઠાર કર્યા. થોડા દિવસો પહેલા પણ આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનાને કારણે શોપિયામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.