9 દિવસ માટે ખેરગામમાં લાગુ કરાઈ કલમ 144, સરઘસ તેમજ રેલી કાઢવા પર લગાવાયો પ્રતિબંધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 10:13:35

આ વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને વધારે સમય બાકી ન રહેતા, તમામ રાજકીય પાર્ટીઓ પ્રચારમાં વ્યસ્ત બની છે. ત્યારે શનિવારના રોજ વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો હતો જેને કારણે માહોલ ગરમાયો છે. હુમલામાં અનંત પટેલને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. ધારાસભ્ય પર હુમલો થવાને કારણે તેમના સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. માહોલ વધારે ઉગ્ર ન બને તે માટે ખેરગામ પોલીસ સ્ટેશન હદમાં અધિક કલેક્ટર દ્વારા 9 દિવસ માટે કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. 


શાંતિ ભંગ ન થાય તે માટે લાગુ કરાઈ કલમ 144

અનંત પટેલ પર થયેલા હુમલાને કારણે રાજનીતિ ગરમાઈ છે. હુમલા થતા તેમના સમર્થકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. હુમલાનો વિરોધ કરવા તેમના સમર્થકોએ પરવાનગી વગર ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો હતો. જે બાદ અનેક કોંગ્રેસના નેતાઓને ડિટેઈન કરી દેવામાં આવ્યા હતા. શાંતિનો માહોલ જળવાઈ રહે તે માટે નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. સરકારી કાર્યક્રમો, લગ્નનો વરઘોડો, દેવસ્થાને જતા લોકો પર, સ્મશાન યાત્રામાં જતા લોકો પર કલમ 144 લાગુ નહીં થાય.     




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.