ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષાની પદ્ધતિમાં કર્યો આમુલ ફેરફાર, જાણો GSSSBના નિર્ણયની શું થશે અસર


  • Published By :
  • Published Date : 2023-11-29 15:25:21

રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ગુજરાત સરકારની ત્રીજા વર્ગની વિવિધ ખાલી પડેલી જગ્યાઓમાં માટે પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે. ગુજરાતના હજારો યુવાનો આ પરીક્ષા આપી સરકારી નોકરી મેળવવા તલપાપડ હોય છે. જો કે હવે આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા તેની પરીક્ષા પધ્ધતીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)એ આ અંગે મોટો નિર્ણય લેતા સંપુર્ણ પરીક્ષા પેપરલેસ બનાવવાની પહેલ કરી છે. હવે ઉમેદવારોએ પરીક્ષા લેખિતના બદલે કોમ્પ્યુટર દ્વાર આપવી પડશે.


15 હજાર ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી સુવિધા


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)ના ઉમેદવારોએ હવે કોમ્પ્યુટર પર જ ઉમેદવારને પરીક્ષા આપવાની રહેશે.ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા માટેની એજન્સી પણ  નક્કી કરી છે. TCS TCS (Tata Consultancy Services) કંપનીને પરીક્ષા માટેની જવાબદારી સોપવામાં આવશે. એક સાથે 15 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. ઓનલાઈન પદ્ધતિથી સૌથી પહેલા બીટગાર્ડની પરીક્ષા લેવામાં આવેશે. બીટગાર્ડની પરીક્ષા એક સપ્તાહથી વધુ સમય સુધી ચાલશે. સાડા ચાર લાખ ઉમેદવારો બીટગાર્ડની પરીક્ષા ઓનલાઈન આપશે. આ સાથે જો એક પરીક્ષામાં ઉમેદવારોની સંખ્યા વધુ હશે તો તેમની પરીક્ષા એક જ દિવસમાં પૂર્ણ નહીં થાય. એટલે કે લાખો ઉમેદવારોએ ફોર્મ ભર્યા હશે તો પરીક્ષા એક કરતા વધુ દિવસ પણ યોજાઈ શકે છે. આ સિવાય પ્રાથમિક માહિતીમાં દિવસના ત્રણ પેપર કાઢવામાં આવશે તેવી વિગતો પણ મળી રહી છે. ટેક્નોલોજીની સાથે ચાલવા અને કાગળનો ઉપયોગ ઘટાડવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ થવાથી પરીક્ષાની પ્રક્રિયા વધુ સરળ પણ બની શકે છે. જોકે, આ નવી પદ્ધતિથી પરીક્ષાના આયોજનનો મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તેને લગતી વધુ માહિતી આગામી ટૂંક સમયમાં આપવામાં આવી શકે છે.


શું પેપરકાંડથી છુટકારો મળશે?


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેવાતી પરીક્ષાઓમાં છેલ્લાં કેટલાં સમયથી છબરડા, તેમજ પેપર ફૂટવાની એક પછી એક ઘટનાઓ કે પછી એમ કહો કે છાશવારે થતાં પેપરકાંડને રોકવા સરકારે હવે કડક પગલાં લીધો છે.  અંતે આ મામલે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરિક્ષા પદ્ધતિમાં મોટો ફેકફાર કરવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનિય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થતી ભરતીઓ, ખાતાકીય પરીક્ષાઓ અને રાજ્યના વિવિધ ખાતાઓમાં થતી ભરતી અંગેની પરીક્ષાઓનું આયોજન ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા કરવામાં આવતું હોય છે, આ પરીક્ષાઓ લાખોની સંખ્યામાં ઉમેદવારો દ્વારા આપવામાં આવતી હોય છે ત્યારે હવે મંડળ દ્વારા જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તેનું આયોજન કઈ રીતે થાય છે તે પરીક્ષા લેવાશે ત્યારે જ જાણવા મળશે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!