ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષાની પદ્ધતિમાં કર્યો આમુલ ફેરફાર, જાણો GSSSBના નિર્ણયની શું થશે અસર


  • Published By :
  • Published Date : 2023-11-29 15:25:21

રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ગુજરાત સરકારની ત્રીજા વર્ગની વિવિધ ખાલી પડેલી જગ્યાઓમાં માટે પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે. ગુજરાતના હજારો યુવાનો આ પરીક્ષા આપી સરકારી નોકરી મેળવવા તલપાપડ હોય છે. જો કે હવે આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા તેની પરીક્ષા પધ્ધતીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)એ આ અંગે મોટો નિર્ણય લેતા સંપુર્ણ પરીક્ષા પેપરલેસ બનાવવાની પહેલ કરી છે. હવે ઉમેદવારોએ પરીક્ષા લેખિતના બદલે કોમ્પ્યુટર દ્વાર આપવી પડશે.


15 હજાર ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી સુવિધા


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)ના ઉમેદવારોએ હવે કોમ્પ્યુટર પર જ ઉમેદવારને પરીક્ષા આપવાની રહેશે.ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા માટેની એજન્સી પણ  નક્કી કરી છે. TCS TCS (Tata Consultancy Services) કંપનીને પરીક્ષા માટેની જવાબદારી સોપવામાં આવશે. એક સાથે 15 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. ઓનલાઈન પદ્ધતિથી સૌથી પહેલા બીટગાર્ડની પરીક્ષા લેવામાં આવેશે. બીટગાર્ડની પરીક્ષા એક સપ્તાહથી વધુ સમય સુધી ચાલશે. સાડા ચાર લાખ ઉમેદવારો બીટગાર્ડની પરીક્ષા ઓનલાઈન આપશે. આ સાથે જો એક પરીક્ષામાં ઉમેદવારોની સંખ્યા વધુ હશે તો તેમની પરીક્ષા એક જ દિવસમાં પૂર્ણ નહીં થાય. એટલે કે લાખો ઉમેદવારોએ ફોર્મ ભર્યા હશે તો પરીક્ષા એક કરતા વધુ દિવસ પણ યોજાઈ શકે છે. આ સિવાય પ્રાથમિક માહિતીમાં દિવસના ત્રણ પેપર કાઢવામાં આવશે તેવી વિગતો પણ મળી રહી છે. ટેક્નોલોજીની સાથે ચાલવા અને કાગળનો ઉપયોગ ઘટાડવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ થવાથી પરીક્ષાની પ્રક્રિયા વધુ સરળ પણ બની શકે છે. જોકે, આ નવી પદ્ધતિથી પરીક્ષાના આયોજનનો મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તેને લગતી વધુ માહિતી આગામી ટૂંક સમયમાં આપવામાં આવી શકે છે.


શું પેપરકાંડથી છુટકારો મળશે?


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેવાતી પરીક્ષાઓમાં છેલ્લાં કેટલાં સમયથી છબરડા, તેમજ પેપર ફૂટવાની એક પછી એક ઘટનાઓ કે પછી એમ કહો કે છાશવારે થતાં પેપરકાંડને રોકવા સરકારે હવે કડક પગલાં લીધો છે.  અંતે આ મામલે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરિક્ષા પદ્ધતિમાં મોટો ફેકફાર કરવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનિય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થતી ભરતીઓ, ખાતાકીય પરીક્ષાઓ અને રાજ્યના વિવિધ ખાતાઓમાં થતી ભરતી અંગેની પરીક્ષાઓનું આયોજન ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા કરવામાં આવતું હોય છે, આ પરીક્ષાઓ લાખોની સંખ્યામાં ઉમેદવારો દ્વારા આપવામાં આવતી હોય છે ત્યારે હવે મંડળ દ્વારા જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તેનું આયોજન કઈ રીતે થાય છે તે પરીક્ષા લેવાશે ત્યારે જ જાણવા મળશે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.