Adani મામલે SEBIએ પાઠવી Hindenburg Researchને નોટિસ, તો જવાબમાં Hindenburgએ કર્યો નવો ધડાકો! જાણો વિગતવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-02 16:17:57

અદાણીનું નામ આપણે સાંભળીએ ત્યારે અમેરિકન શોર્ટ સેલર ફર્મ Hindenburgનો રિપોર્ટ આપણને યાદ આવે.. જ્યારે તે રિપોર્ટ આવ્યો હતો તે બાદ સંસદમાં પણ આ મુદ્દો ઘણો ઉછળ્યો હતો.. ભારે વિવાદ પણ થયો હતો. Hindenburg દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે અદાણી ગ્રૂપના શેર્સમાં ગેરરીતિ કરવામાં આવે છે.. તે બાદ માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા hindenburgને શો કેઝ નોટિસ પાઠવવામાં આવી હતી. 

46 પાનાની હિંડનબર્ગને આપવામાં આવી સેબી દ્વારા નોટિસ

Hindenburgને પાઠવવામાં આવેલી શો કેઝ નોટિસને કહ્યું છે કે 27 જૂને તેમને સેબીએ શો કેઝ નોટિસ મોકલી. જેમાં અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારનો આરોપ ખોટો છે અને ભ્રામક છે તેવું કહેવામાં આવ્યું.. સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું કે હિંડનબર્ગનો રિપોર્ટે ભારતીય નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. 46 પાનાની નોટીસ સેબીએ મોકલી હતી.. સેબીની નોટિસના જવાબમાં હિંડનબર્ગે સેબી પર આરોપ લગાવ્યો છે. હિંડનબર્ગ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે તે અડાણી ગ્રુપને બચાવવાની કોશિશ કરે છે.



નોટિસના જવાબમાં હિંડનબર્ગે આ બેન્કના નામનો કર્યો ઉલ્લેખ!

હિંડનબર્ગ દ્વારા આપવામાં આવેલા જવાબમાં દેશની એક ટોચની ખાનગી બેન્કની સંડોવણી હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો. જે બેન્કની સંડોવણી હોવાની વાત કરવામાં આવી તે છે કોટક બેંક. હિંડનબર્ગ દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો છે કે ભારતની માર્કેટ રેગ્યુલેટર આ કેસની તપાસમાં કોટક બેન્કનું નામ શોધવામાં કેમ નિષ્ફળ રહી.. કોટક બેન્કનું નામ સામે આવતા કોટક બેંક દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી હોય તેવી માહિતી હાલ સામે આવી નથી. મહત્વનું છે કે 2023માં હિંડનબર્ગ દ્વારા અડાણીને લઈ રિપોર્ટ આપવામાં આવ્યો હતો.   



જિંદગીને જીવવી ઘણી વખત એટલી સહેલી નથી હોતી જેટલી સહેલી આપણે માનતા હોઈએ છીએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મુકેશ જોષીની રચના - જિંદગીને વાંચી છે?

દેશભરમાં આ પ્રખ્યાત પાણીપુરીને લઈને કર્ણાટકમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. કર્ણાટક રાજ્યના ફૂડ સેફ્ટી અધિકારીઓએ પાણીપુરીના સેમ્પલ એકત્રિત કર્યા છે અને તેની તપાસ કરી. રિપોર્ટ આવતા ખબર પડી કે , તેમાં કેન્સર થાય એવા તત્વો હોય છે. સાથે જ આ સેમ્પલમાંથી ૨૨ ટકા પાણીપુરી તો સેમ્પલ ફૂડ સેફ્ટીના ધારા ધોરણોમાં નિષ્ફળ નીવડી છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અને હવે લગ્નના ફંક્શન પણ શરૂ થઈ ગયા છે. લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગઈકાલે અંબાણી પરિવારમાં લગ્ન પહેલાં મામેરા વિધિ કરવામાં આવી.

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. મેઘો મન મૂકીને વરસી રહ્યો છે.. છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરાદ વરસ્યો છે. હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.