રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, સિવિલ હોસ્પિટલમાં ઝાડા-ઊલટી, તાવ, શરદી-ઉધરસના દર્દીઓની લાગી લાઈનો


  • Published By :
  • Published Date : 2024-02-06 18:09:27

રાજ્યના હવામાનમાં પલટો આવતા રોગચાળાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. વર્તમાનમાં લોકોને સવારે અને રાત્રે શિયાળો અને દિવસ દરમિયાન ઉનાળા જેવો અનુભવ થાય છે. રાજ્યમાં બેવડી ઋતુની શરૂઆત થઈ ગઈ છે, આ મિશ્ર વાતાવરણને કારણે રોગચાળો સતત વકરી રહ્યો છે. અમદાવાદ અને રાજકોટમાં સિવિલ હોસ્પિટલ તથા પ્રાઈવેટ ક્લિનિકોમાં પણ દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. છેલ્લા થોડા સમયમાં ઝાડા-ઊલટી અને ડેન્ગ્યુનાં કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાતા રાજકોટ સિવિલ સુપ્રિટેન્ડેન્ટએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.


વિવિધ રોગોનાં 1695 કેસ નોંધાયા


રાજકોટમાં છેલ્લા એકાદ સપ્તાહથી સિવિલ હોસ્પિટલ અને મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળે છે. લાંબા સમય બાદ રાજકોટ મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1695 કેસ નોંધાયા છે. જેમાં શરદી-ઉધરસનાં 1263 કેસ, ઝાડા-ઉલટીનાં 256 કેસ, સામાન્ય તાવનાં 173 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાનાં પણ વધુ 1-1 કેસ સામે આવ્યા છે. અન્ય ખાનગી હોસ્પિટલો તેમજ નાના-મોટા ક્લિનિકમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા ઘણી વધુ છે. ત્યારે લોકો સાવચેતી રાખે તે ખાસ જરૂરી છે. જોકે, સિવિલમાં દર્દીઓને જે લાઈન લાગે છે એ જોતા મનપાના ચોપડે નોંધાયેલા કેસથી વિપરિત છે. જેમાં હોસ્પિટલમાં પહોંચતાની સાથે જ દર્દીઓ અને તેના સગાઓની ભીડ જોવા મળી રહી હતી. પાર્કિંગની જગ્યામાં પણ વાહનોને પાર્ક કરવાની જગ્યા ખૂટી હોવાનું જણાયું હતું. બહારની સાઈડમાં આવેલ કેસ બારી તેમજ અંદર આવેલ દવાની તમામ બારીઓ પર દર્દીઓની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. આ ઉપરાંત સ્ત્રીરોગ વિભાગમાં પણ ખૂબ જ મોટી કતારો જોવા મળી હતી.


ઓપીડી બેઝ રોગચાળો વધ્યો


રોગચાળાની સ્થિતિ અંગે જણાવતા રાજકોટ સિવિલના સુપ્રીન્ટેડન્ટ ડૉ. આર. એસ. ત્રિવેદીએ કહ્યું હતું કે, હાલ મિશ્ર ઋતુ હોવાથી રોગચાળો વધ્યો છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોવાને કારણે આ હોસ્પિટલમાં 11 જિલ્લામાંથી દર્દીઓ આવતા હોવાથી સ્વાભાવિક રીતે દર્દીઓની ભીડ જોવા મળે છે. હાલમાં ઓપીડી બેઝ રોગચાળો વધ્યો છે. જેમાં મોટાભાગના દર્દીઓને જરૂરી રિપોર્ટ બાદ દવા આપવામાં આવતા જ ત્રણ-ચાર દિવસમાં સાજા થઈ જાય છે. દાખલ દર્દીની સંખ્યામાં ખાસ મોટો વધારો થયો નથી.ગત માસની સરખામણીએ આ મહિને ઓપીડી કેસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. જેમાં પણ ખાસ કરીને ઝાડા-ઉલટી અને ડેન્ગ્યુનાં દર્દીઓમાં ઘણો મોટો ઉછાળો નોંધાયો છે. આ ઉપરાંત સામાન્ય તાવ તેમજ શરદી-ઉધરસનાં કેસો અને મચ્છરજન્ય મેલેરિયા જેવા રોગના દર્દીઓ પણ સતત સામે આવી રહ્યા છે. જોકે, ચિકનગુનિયાનો કોઈ પણ કેસ સામે આવ્યો ન હોવાનો આશ્ચર્યજનક દાવો તેમણે કર્યો હતો. તેમજ કોઈ પણ પ્રકારની બીમારીનાં લક્ષણો જણાય ત્યારે કોઈ મેડિકલ સ્ટોર્સમાંથી દવા લેવાને બદલે ડોક્ટરની સલાહ લેવા માટે સિવિલ કે અન્ય કોઈ ખાનગી હોસ્પિટલની મુલાકાત લેવા અપીલ કરી હતી.



રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.