PM મોદીને 'ગુજરાતના કસાઈ' કહેનારા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો આગામી મે મહિનામાં ભારત આવશે


  • Published By :
  • Published Date : 2023-04-20 16:23:06

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો 4-5 મે દરમિયાન ભારતની મુલાકાતે આવશે. તે ગોવામાં યોજાનારી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ગુરૂવારે આ અંગે જાણકારી આપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે બિલાવલની સાથે અધિકારીઓનું એક ડેલિગેશન પણ ભારતના પ્રવાસે આવશે. 


PM મોદી પર કર્યું હતું વિવાદાસ્પદ નિવેદન


પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ પીએમ મોદી અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા હડકંપ મચી ગયો હતો. બિલાવલ ભુટ્ટોએ સંયુક્ત રાષ્ટ્રમાં આયોજીત એક પત્રકાર પરિષદમાં પીએમ મોદીને ગુજરાતના કસાઈ કહ્યા હતા,  તેમણે કહ્યું હતું કે વર્ષ 2002માં થયેલા ગુજરાત રમખાણો દરમિયાન બે હજારથી પણ વધુ મુસલમાનોનો નરસંહાર કરવામાં આવ્યો હતો. મોદીને સજા આપવાના બદલે, તેમને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે.  


ભારતમાં યોજાશે SCOની બેઠક


અત્રે ઉલ્લેખનિય છે કે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) એક શક્તિશાળી રિઝનલ ફોરમ છે. આ બેઠકમાં રશિયા, ચીન, ભારત, પાકિસ્તાન અને ઈરાનની સાથે જ મધ્ય એશિયાના દેશોનો સમાવેશ થાય છે. SCOનું અધ્યક્ષ પદ હાલ ભારત પાસે છે, અને ભારતની અધ્યક્ષતામાં આ જ વર્ષે SCOની મિટિંગો યોજાશે. આ બેઠકમાં સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ ભાગ લેશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.