એસ.જયશંકરે પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોનું કર્યું સ્વાગત, બેઠકમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો


  • Published By :
  • Published Date : 2023-05-05 13:52:45

ગોવાના પણજીમાં શુક્રવારે SCO કાઉન્સિલ ઓફ ફોરેન મિનિસ્ટર્સની બેઠક શરૂ થઈ છે. બેઠક પહેલા, ભારતીય વિદેશ મંત્રી ડૉ. જયશંકરે SCO સભ્ય દેશોના વિદેશ મંત્રીઓનું સ્વાગત કર્યું હતું. આ બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી પણ ભારત પહોંચી ગયા છે. શુક્રવારે વિદેશ મંત્રીઓની બેઠક પહેલા ભારતીય વિદેશ મંત્રીએ પાકિસ્તાની વિદેશ મંત્રીનું સ્વાગત કર્યુ હતું.


ભારતે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો  


SCOની બેઠક દરમિયાન પોતાના સંબોધનમાં ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો અને પરોક્ષ રીતે પાકિસ્તાનને નિશાન બનાવ્યું હતું. જયશંકરે કહ્યું કે આતંકવાદનો કહેર હજુ પણ યથાવત છે. અમે દૃઢપણે માનીએ છીએ કે આતંકવાદને કોઈ પણ રીતે ન્યાયી ઠેરવી શકાય નહીં અને તેને રોકવો જ જોઈએ. આમાં સીમાપારનો આતંકવાદ અને અન્ય તમામ પ્રકારના આતંકવાદનો સમાવેશ થાય છે. SCO બેઠકનો મૂળ હેતું આતંકવાદનો સામનો કરવાનો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.