રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની થશે ભરતી, સરકારે HMAT સર્ટિફિકેટની મર્યાદા વધારી


  • Published By :
  • Published Date : 2023-05-10 15:35:14

રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની ભરતી અંગે અનેક વખત રજુઆતો કરવામાં આવ્યા અંતે આ મામલે સરકારે હવે કાર્યવાહી હાથ ધરી છે. આચાર્યોની ભરતીના પ્રશ્ને ગાંધીનગરમાં આજે આચાર્ય પસંદગી સમિતિની મહત્વની બેઠક મળી રહી છે. જેમાં શાળાઓના આચાર્યોની ભરતી અંગે  મહત્વનો નિર્ણય લેવાઇ શકે છે.


સરકારે HMAT સર્ટિફિકેટની મર્યાદા વધારી


આગામી દિવસોમાં ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી જાહેર થવાની શક્યતા છે. સરકાર આચાર્યની ખાલી જગ્યાઓ માટે ભરતી કરાશે. અંદાજે 1 હજાર કરતા વધુ આચાર્યની ભરતી જાહેર થવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ભરતીની જાહેરાત કરશે. સોમવારે સરકારે HMAT સર્ટિફિકેટની મર્યાદા વધારી દીધી છે. સર્ટીફીકેટની મર્યાદા વધારીને ઓગસ્ટ સુધી કરવામાં આવી છે.


3000થી વધુ આચાર્યોની જગ્યા ખાલી


ગાંધીનગરમાં આજે આચાર્ય પસંદગી સમિતિની બેઠક મળી રહી છે. જેમાં રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ભરતી અંગે નિર્ણય લેવાઈ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાલ 3000થી વધુ આચાર્યોની જગ્યા ખાલી છે. આગામી શનિવાર સુધી આચાર્યની ભરતી માટેની જાહેરાત થઈ શકે છે.


અપ્રિલ મહિનામાં થઈ હતી બેઠક


અત્રે ઉલ્લેખનિય છે કે ગત અપ્રિલ મહિનામાં શિક્ષક સંઘની ગાંધીનગરમાં મહત્વની બેઠક મળી હતી. જેમાં શિક્ષણમંત્રી અને અધિકારીઓની હાજરીમાં પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. શિક્ષકો અને આચાર્યોની ભરતી પ્રક્રિયા, ગ્રાન્ટ, બદલી સહિતના મુદ્દે પણ ચર્ચા થઈ હતી. સરકારી અને ગ્રાન્ટેડ શાળાના પડતર પ્રશ્નોના સમાધાન માટે બેઠક માટે પણ ચર્ચા થઈ હતી. તેમજ વર્ગ સંખ્યા, આચાર્ય ભરતી, શિક્ષકોની ઘટ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે ગ્રાન્ટ આપવા અંગે વિચારવિમર્શ કરાયો હતો. આ બેઠકમાં શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરે તમામ પ્રશ્નોના સત્વરે નિકાલની બાહેંધરી આપી હતી.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!