રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની થશે ભરતી, સરકારે HMAT સર્ટિફિકેટની મર્યાદા વધારી


  • Published By :
  • Published Date : 2023-05-10 15:35:14

રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની ભરતી અંગે અનેક વખત રજુઆતો કરવામાં આવ્યા અંતે આ મામલે સરકારે હવે કાર્યવાહી હાથ ધરી છે. આચાર્યોની ભરતીના પ્રશ્ને ગાંધીનગરમાં આજે આચાર્ય પસંદગી સમિતિની મહત્વની બેઠક મળી રહી છે. જેમાં શાળાઓના આચાર્યોની ભરતી અંગે  મહત્વનો નિર્ણય લેવાઇ શકે છે.


સરકારે HMAT સર્ટિફિકેટની મર્યાદા વધારી


આગામી દિવસોમાં ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી જાહેર થવાની શક્યતા છે. સરકાર આચાર્યની ખાલી જગ્યાઓ માટે ભરતી કરાશે. અંદાજે 1 હજાર કરતા વધુ આચાર્યની ભરતી જાહેર થવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ભરતીની જાહેરાત કરશે. સોમવારે સરકારે HMAT સર્ટિફિકેટની મર્યાદા વધારી દીધી છે. સર્ટીફીકેટની મર્યાદા વધારીને ઓગસ્ટ સુધી કરવામાં આવી છે.


3000થી વધુ આચાર્યોની જગ્યા ખાલી


ગાંધીનગરમાં આજે આચાર્ય પસંદગી સમિતિની બેઠક મળી રહી છે. જેમાં રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ભરતી અંગે નિર્ણય લેવાઈ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાલ 3000થી વધુ આચાર્યોની જગ્યા ખાલી છે. આગામી શનિવાર સુધી આચાર્યની ભરતી માટેની જાહેરાત થઈ શકે છે.


અપ્રિલ મહિનામાં થઈ હતી બેઠક


અત્રે ઉલ્લેખનિય છે કે ગત અપ્રિલ મહિનામાં શિક્ષક સંઘની ગાંધીનગરમાં મહત્વની બેઠક મળી હતી. જેમાં શિક્ષણમંત્રી અને અધિકારીઓની હાજરીમાં પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. શિક્ષકો અને આચાર્યોની ભરતી પ્રક્રિયા, ગ્રાન્ટ, બદલી સહિતના મુદ્દે પણ ચર્ચા થઈ હતી. સરકારી અને ગ્રાન્ટેડ શાળાના પડતર પ્રશ્નોના સમાધાન માટે બેઠક માટે પણ ચર્ચા થઈ હતી. તેમજ વર્ગ સંખ્યા, આચાર્ય ભરતી, શિક્ષકોની ઘટ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે ગ્રાન્ટ આપવા અંગે વિચારવિમર્શ કરાયો હતો. આ બેઠકમાં શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરે તમામ પ્રશ્નોના સત્વરે નિકાલની બાહેંધરી આપી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.