આયુષ્માન ભારત યોજનામાં કૌભાંડ, 10 લાખ લોકોએ એક જ નંબરથી લાખો લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-10 15:25:53

સામાન્ય વર્ગને સીધો લાભ થાય તે માટે અનેક સરકારી યોજનાઓ લોન્ચ કરવામાં આવે છે. ત્યારે આવા હેતુથી શરૂ કરવામાં આવી હતી આયુષ્માન કાર્ડ યોજનામાં ગેરરીતિ થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસો ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા કરવામાં આવ્યો છે. એ રિપોર્ટ મુજબ અંદાજીત 7.5 લાખ લાભાર્થીઓના નંબર સરખા હતા અને તે હતા 9999999999. એક જ નંબર પરથી 7.5 લાભાર્થીઓએ કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવ્યું તે એક પ્રશ્ન હતો.. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ હતો કે આયુષ્માન યોજનામાં મૃત વ્યક્તિઓની પણ સારવાર કરવામાં આવી હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. યોજનાનો દુરૂપયોગ કરવામાં આવ્યો છે.


આયુષ્માન ભારત -  પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત કરાઈ

ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવવી અનેક પરિવારના ગજાની વાત નથી હોતી. કારણ કે એક વાર જો તમે ખાનગી હોસ્પિટલમાં સારવાર ગયા તો ત્યાં તમારૂ બિલ એટલું મોટું બને કે પૈસાની વ્યવસ્થા સાધારણ પરિવાર ક્યાંથી કરે તે એક પ્રશ્ન હોય છે. ત્યારે આયુષ્માન ભારત યોજના ભારતના સામાન્ય પરિવારના કરોડો પરિવારો માટે મદદરૂપ થાય અને તે લોકો પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ શકે તે માટે આયુષ્માન ભારત -  પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી. આ એવી યોજના હતી જેમાં લોકો ખાનગી હોસ્પિટલમાં પણ મફત સારવાર કરાવી શકે અને તેનો ખર્ચ સરકાર ઉઠાવે. યોજના સારી હતી પરંતુ ઘણી ખામીઓ સામે આવી. લોકો આ યોજનાનો ખોટો લાભ ઉઠાવવા લાગ્યા.  


કેગના ડેટાએ કર્યો ઘટસ્ફોટ 

આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં લાભાર્થીઓની નોંધણી અને વેરિફિકેશનમાં ભયંકર ગેરરીતિ થઇ રહી છે તેનો ઘટફોટ કેગના રિપોર્ટમાં થયો હતો. એ રિપોર્ટ અનુસાર લગભગ 7.5 લાખ લાભાર્થીઓ એક જ સેલફોન નંબર સાથે લિંક હતા. જેનો નંબર 99999999 હતો. સરળ શબ્દોમાં કહીએ તો આયુષ્માન ભારત યોજનાના લગભગ 7.5 લાખ લાભાર્થીઓ એક જ મોબાઇલ નંબર – 9999999999 સાથે લિંક થયેલા હતા. માત્ર 9ની સિરિઝ નહીં પરંતુ 8ની સિરિઝ એટલે કે  8888888888 મોબાઈલ નંબરથી પણ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું, તે ઉપરાંત 9000000000થી પણ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યા હતા.



એક જ નંબરથી લાખો લાભાર્થીઓ થયા છે લિંક 

સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવેલા આયુષ્માન ભારત-PMJAYની કામગીરી અંગેના તેના ઓડિટ રિપોર્ટમાં CAG એ જણાવ્યું હતું કે આયુષ્માન યોજનાની બેનિફિશિયલ આઇડેન્ટિફિકેશન સિ્સ્ટમમાં કુલ 7,49,820 લાભાર્થીઓ એક જ મોબાઇલ સાથે લિંક થયેલા હતા. 8888888888થી 139300 લાભાર્થીઓ લિંક હતા, જ્યારે  9000000000 નંબર પર 96,046 લાભાર્થી લિંક હતા.  રિપોર્ટ અનુસાર આયુષ્માન યોજના હેઠળ અત્યાર સુધીમાં 7.87 કરોડ લાભાર્થી પરિવાર નોંધાયા છે. 

 

યોજનાની આ છે વાસ્તવિક્તા!

બિઝનેસ ટૂડના અહેવાલ મુજબ ઓડિટમાં એ વસ્તુ પણ સામે આવી કે મૃત વ્યક્તિઓની સારવાર પણ કરવામાં આવી હતી.સ્કીમનો લાભ મૃત વ્યક્તિઓને પણ મળતો હતો. ટીએમએસના રિપોર્ટ પ્રમાણે આયુષ્માન ભારત યોજનાનો લાભ 88 હજાર 760 દર્દી સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા. પરંતુ આ જ દર્દીઓથી સંબંધિત 2 લાખ 14 હજાર 923 નવા ક્લેમનું ભૂગદાન કરી દેવામાં આવ્યું. 3 હજાર 903 દાવાઓની બદલીમાં હોસ્પિટલોમાં 6 કરોડ 97 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. 



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.