રૂ. 2,000ની નોટો બદલાવા અંગે લોકોની મૂંઝવણ વધતા SBIએ કરી આ મહત્વની જાહેરાત, જાણો શું છે ગાઈડલાઈન


  • Published By :
  • Published Date : 2023-05-21 15:39:30

RBIએ રૂ. 2,000ની ચલણી નોટો ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારથી લોકોમાં મૂંઝવણ વધી છે. જો કે હવે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ જાહેરાત કરી છે કે, એક સમયે 20,000 ની મર્યાદા સુધીની રૂ. 2,000 ની નોટ એક્સચેન્જ કરવા માટે લોકોને કોઈપણ રિક્વિઝિશન સ્લિપ અથવા ઓળખ પુરાવા વિના બદલી આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે RBIએ લોકોને આ નોટો 23 મેથી શરૂ કરીને 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં જમા કરવા અને/અથવા એક્સચેન્જ કરવા જણાવ્યું છે.


SBIની જાહેરાતથી હાશકારો


SBIએ એ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, 'પેરા 4 (B)માં સમાયેલ સૂચનાઓના આંશિક ફેરફારમાં નક્કી કરવામાં આવ્યું છે કે એક સમયે લોકોને રૂ. 2,000 મૂલ્યની બેંક નોટો રૂ. 20,000ની મર્યાદા સુધી બદલવાની સુવિધા આપવામાં આવશે. પરિશિષ્ટ-III માં જોડાયેલ ફોર્મેટ મુજબ કોઈપણ વ્યક્તિએ એક્સચેન્જ સમયે રીક્વિઝિશન સ્લિપ તેમજ કોઈ ઓળખ પુરાવા સબમિટ કરવાની જરૂર નથી.' ગત શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોને રૂ. 2000ના મૂલ્યની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી હતી. જો કે, બેંક નોટો કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.