સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પાછું ખેંચ્યું રાજીનામું, સી.આર.પાટીલ સાથેની બેઠક બાદ બદલ્યો નિર્ણય, શું ધારાસભ્યે ખાલી ખાલી રાજીનામું આપ્યું હતું?


  • Published By :
  • Published Date : 2024-03-19 17:26:12

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. વિધાનસભા અધ્યક્ષને રાજીનામું ઈમેલ કરી દીધું હતું. સવારથી આ વાતને લઈ ચર્ચા થઈ રહી હતી કે. જ્યારથી આ સમાચાર સામે  આવ્યા ત્યારથી લાગી રહ્યું હતું કે વધારે મામલો ઉગ્ર બનશે તેની પહેલા શાંત કરવામાં આવી જશે. ધારાસભ્યને સમજાવવામાં આવ્યા. સી.આર.પાટીલના નિવાસસ્થાન પર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક બાદ કેતન ઈનામદારે પોતાનું રાજીનામું પાછું ખેચીં લીધું છે. તેમની જે વેદના હતી તે તેમણે હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરી. બેઠક બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. 

મધરાત્રે ધારાસભ્યએ આપી દીધું હતું રાજીનામું 

લોકસભા ચૂંટણી પહેલા અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે ઉપરાંત પક્ષપલટો પણ કરી લીધો છે. ત્યારે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે મધરાત્રે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષને મેલ કર્યું હતું. સવારે જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમણે પોતાના અંતરાત્માનો અવાજ સાંભળી આ નિર્ણય લીધો છે. ઉપરાંત તે રાજીનામું પરત નહીં ખેંચે તેવું લાગતું હતું. 


આની પહેલા પણ તે આપી ચૂક્યા છે રાજીનામું 

આ પહેલી વખત નથી જ્યારે તેમણે રાજીનામું આપ્યું હોય આની પહેલા પણ તેમણે રાજીનામું આપી દીધું છે. 2020માં પણ તેમણે રાજીનામું આપી દીધું હતું. જમાવટની ટીમે જ્યારે કેતન ઈનામદારને રાજીનામા અંગે પૂછ્યું ત્યારે એવું લાગતું હતું કે, તેમની વાતો પરથી એવું લાગતું હતું કે તે રાજીનામું પરત નહીં લે. વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપવું એ નાની વાત નથી. રાજીનામા પર સી.આર.પાટીલની તેમજ રંજન ભટ્ટની પ્રક્રિયા પણ સામે  આવી હતી. 


બેઠક બાદ બદલાઈ ગયા બોલ!

સવારે ધારાસભ્ય રાજીનામાને લઈ મક્કમ હતા પરંતુ બપોર સુધીમાં તેમની મક્કમતા ખતમ થઈ ગઈ! સી.આર.પાટીલના ઘરે બેઠકનું આયોજન થયું અને તે બાદ મામલો શાંત થઈ ગયો અને સાવલીના ધારાસભ્યે રાજીનામું પરત લઈ લીધું. બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને આ અંગેની જાહેરાત કરવામાં આવી. તેમણે કહ્યું કે મારું રાજીનામું મારા અંતર આત્માના અવાજને માન આપીને હતું. પ્રદેશ અધ્યક્ષ અને પ્રભારી મંત્રી સાથે ચર્ચા બાદ મને સંતોષ છે અને રાજીનામું પરત લઉં છું. મને સંતોષ થાય તે રીતે તેમણે મારી વાતનું નિરાકરણ લાવ્યું છે.

અંતરાત્માનો અવાજ સાંભળી ધારાસભ્યએ આપ્યું હતું રાજીનામું

વધુમાં તેમણે કહ્યું કે ગઇકાલે રાત્રે દોઢ વાગ્યે મેં વિધાનસભા અધ્યક્ષને રાજીનામું ઇમેલ દ્વારા આપ્યું હતું. મેં લખ્યું હતું કે, મારા અંતર આત્માના અવાજને માન આપીને રાજીનામું આપું છું. રાજીનામાની જાણ થતાં આગેવાનો દ્વારા પૂછવામાં આવ્યું કે શું વાત છે? મેં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને હર્ષ સંઘવી સાથે બેસીને ચર્ચા કરી. મેં મારી વેદના તેમને કહી. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તમને અને પ્રત્યેક કાર્યકરને સંતોષ થાય તેવું જ સરકાર અને સંગઠન દ્વારા કરવામાં આવશે.



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.