સૌરાષ્ટ્ર અને તમિલનાડુ વચ્ચે વર્ષો જુનો સંબંધ છે? જાણો શું છે સૌરાષ્ટ્ર તમિલ સરગમ અને ક્યારથી થવાનો છે પ્રારંભ


  • Published By :
  • Published Date : 2023-03-28 18:03:04

ભારતએ વિવિધ સંસ્કૃતિઓનો દેશ છે અને એમાં પણ જ્યારે બે પ્રદેશની સંસ્કૃતિઓ ભેગી થાયને ત્યારે એનો સંગમ અને એની વાતો તો કંઈક અલગ જ હોય છે. આવો જ એક સંગમ ગુજરાતને આંગણે થવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ ગુજરાતની ધરા પર થવા જઈ રહ્યો છે. 


સૌરાષ્ટ્ર તમિલ સંગમનું કરાશે આયોજન 

કહેવાય છે કે વર્ષો પહેલાં ઘણાં ગુજરાતીઓ સૌરાષ્ટ્રમાંથી તમિલનાડુમાં આવીને વસ્યાં હતા, જેઓ આજે પણ સૌરાષ્ટ્રી તમલિ તરીકે ઓળખાય છે. અને તેમની જીવનશૈલીમાં થોડી ઘણી સૌરાષ્ટ્રની રીતભાત પણ આજે જોવા મળે છે. જેને ધ્યાનમાં રાખીને એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત સૌરાષ્ટ્ર તમિલ સંગમ યોજવામાં આવી રહ્યું છે.આ સંગમ આગમી 17 એપ્રિલ થી લઈને 30 એપ્રિલ દરમ્યાન સૌરાષ્ટ્ર ખાતે યોજાવાનો છે. જેમાં તમિલનાડુમાં રહેતા ગુજરાતીઓ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવશે અને આ કાર્યક્રમ સોમનાથ તેમજ કેવડિયા સહિત ગુજરાતના ચાર શહેરોમાં યોજવામાં આવશે. 


કેન્દ્રીય મંત્રીઓએ લોગો અને વેબસાઈટ કરી લોન્ચ 

આ માટે હાલમાં જ કેન્દ્રિય મંત્રી મનુસખ માંડવિયા અને અનુરાગ ઠાકુર સહિત ગુજરાતના મંત્રીઓ પણ તમિલનાડુના પ્રવાસે ગયા હતા અને આ સંગમમાં ભાગ લેવા માટે ત્યાંના ગુજરાતીઓને આમંત્રણ આપ્યું હતું અને આ ઉપરાંત એ કાર્યક્રમનો લોગો અને વેબસાઈટ લોન્ચ કરી હતી.અને વેબસાઈટ લોન્ચ થયા બાદ કુલ 10 હજારથી વધારે લોકોએ આ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી મનુસખ માંડવિયાએ કહ્યું હતું કે અન્ના તમે લોકો રસમ લઈને આવજો અમે ગુજરાતમાં થેપલા અને ખાખરા તૈયાર રાખીશું..


વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં કરી આ અંગે વાત 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વન ઈન્ડિયા, બેસ્ટ ઈન્ડિયા વિઝન અંતર્ગત કાશી તમિલ સંગમ બાદ હવે સૌરાષ્ટ્ર તમિલ સંગમ થવા જઈ રહ્યું છે,ત્યારે આ સંગમનું ઉદ્દઘાટન ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે, તેઓ 17 એપ્રિલે સૌરાષ્ટ્રના સોમનાથ મંદિરે આવશે અને આ કાર્યક્રમનો શુભારંભ કરાવશે. આ મુદ્દે હાલ માંજ પ્રધાનમંત્રીએ પોતાની મન કી બાત કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ વિશે વાત કરી હતી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે