સૌરાષ્ટ્રના આ 5 તાલુકામાં માવઠાથી પાક નુકસાનીના સર્વેનું 80 ટકા કામ પૂર્ણ, સરકારને રિપોર્ટ સોંપાશે


  • Published By :
  • Published Date : 2023-04-03 19:33:14

સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના પાંચ તાલુકાઓમાં માવઠાંથી પાકના નુકસાનનો સર્વેનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ દરમિયાન વિવિધ પાકોને કમોસમી વરસાદથી નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોને ખેડૂતોનો પાક પલળી જતા તેમને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. આ કારણે રાજકોટ જિલ્લાના 5 તાલુકાઓમાં પાકના નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. 


સરકારને સોંપાશે રિપોર્ટ


કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ફરિયાદો ઉઠી હતી. જેના કારણે  સરકાર દ્વારા નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ખેતીવાડી વિભાગ દ્વારા આ નુકસાનનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો હતો. હાલ 80 ટકા જેટલો સર્વે પૂરો પણ થઈ ગયો છે અને આગામી દિવસોમાં આ રિપોર્ટ રાજ્ય સરકારને સોપવામાં આવશે. રિપોર્ટ મુજબ રાજકોટ જિલ્લામાં 5 તાલુકામાં પાકને નુકસાન થયું છે. 


આ તાલુકામાં સર્વેનું કામ પુરૂ થયું


કૃષિ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રાજકોટ જિલ્લાના 5 તાલુકા જસદણ, ઉપલેટા, રાજકોટ, ગોંડલ અનેકોટડામાં સર્વે માટે જુદી જુદી 28 ટીમ બનાવવામાં આવી હતી. અત્યારે રાજકોટ, ગોંડલ, જસદણ અને કોટડામાં સર્વે પૂરો થઈ ગયો છે, અને ઉપલેટામાં સર્વે ચાલુ છે જે 2 દિવસમાં પૂરો થઈ જશે.


પાંચ તાલુકાના 171 ગામમાં સર્વે


કૃષિ વિભાગના કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે માવઠાથી અસરગ્રસ્ત 827 હેક્ટર વિસ્તારનમાં સર્વે કરવામાં આવ્યો છે. 171 ગામમાં આ સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ખેડૂતોની સંખ્યા અંદાજે 790 છે. અત્યારે ઉપલેટા તાલુકામાં સર્વે ચાલુ છે. સર્વે પુરો થયા  બાદ સંપુર્ણ રિપોર્ટ કલેક્ટરની મંજુરી બાદ સરકારમાં રજુ કરવામાં આવશે.


આ કૃષિ પાકને થયું નુકસાન 


કૃષિ વિભાગના સર્વે મુજબ પાંચ તાલુકામાં માવઠાના કારણે ઘઉં, ચણા, ધાણા અને જીરૂના પાકને સૌથી વધારે નુકસાન થયું છે. વરસાદ પહેલા 95 ટકા ઘઉંની કાપણી થઈ ગઈ હતી.જે પલળી જતા અથવા તો વરસાદના કારણે આ પાકને નુકસાન થયું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.