UttarPradeshના Hathrasમાં સત્સંગમાં નાસભાગ, બહાર નીકળવાની લોકોને એટલી બધી ઉતાવળ હતી કે...!


  • Published By :
  • Published Date : 2024-07-02 18:33:16

ઉત્તરપ્રદેશના હાથરસમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે... ભોલેબાબાના સત્સંગમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર હતા..મળતી માહિતી અનુસાર સત્સંગ દરમિયાન નાસભાગ મચી જેમાં 27 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે 100 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોની સંખ્યામાં વધારો પણ થઈ શકે છે. એ પ્રમાણે માહિતી સામે આવી છે તે અનુસાર સત્સંગ કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને તેના સમાપન દરમિયાન નાસભાગ થઈ.. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે...

27 જેટલા લોકોના મોત થયા જ્યારે અનેક લોકો ઘાયલ થયા..

દુર્ઘટના ક્યારે પણ અને કોઈની સાથે પણ સર્જાઈ શકે છે તે વાત આપણે કહેતા હોઈએ છીએ.. ત્યારે ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લાથી એક ખુબજ દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. એટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે કે 27 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે 100 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. બહાર નીકળવાની કોશિશમાં લોકો એક બીજાને ધક્કા મારવા લાગ્યા અને આ દુર્ઘટના સર્જાઈ... જે લોકો મૃત્યુ પામ્યા છે તેમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે.. મૃતકોની સંખ્યા હજી વધી પણ શકે છે તેવું લાગી રહ્યું છે..



રાષ્ટ્રપતિ તેમજ મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો 

એ પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે સત્સંગ પૂર્ણ થયા બાદ લોકોને બહાર નીકળવાની ઉતાવળ હતી.. મોટી સંખ્યામાં લોકો હાજર હતા, એટલે લોકોએ બહાર નીકળવા માટે ધક્કામુકી થઈ ગઈ.. બહાર નીકળવાની ઉતાવળમાં અફરાતફરી મચી ગઈ.. ધક્કા મુક્કી એ હદે વધી ગઈ કે લોકો નીચે પડી ગયા હતા તેમના પરથી લોકો જવા લાગ્યા! ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે વિચલીત કરી દે તેવા છે.. આ ઘટના સામે આવતા સ્થાનિક પ્રશાસન ત્યાં પહોંચી ગયું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મુખ્મયંત્રી યોગી આદિત્યનાથ, રાષ્ટ્રપતિ દ્વારા આ ઘટનાને લઈ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.   



વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લેવિટે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ભારત પર ટેરિફને લઇને કર્યા આકરા પ્રહાર. અમેરિકાએ તેના જ સહયોગી દેશોની સામે ટ્રેડ વોર શરુ કરી દીધું છે . તો જાણો ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપાર વિશે.

દક્ષિણ ગુજરાતથી ધડાધડ મેસેજ આવ્યા કે લાઈટ ગઈ છે. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં એકસાથે લાઈટ ગઈ. મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ અને મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસમાં પહોંચી ગયા હતા. જો કે હવે ટોરેન્ટ અને DGCVLએ 100 ટકા પૂરવઠો પૂર્વવત કરી દીધો છે.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ૧૯૪૮થી જ હિંસક આંદોલનો થઈ રહ્યા છે , જાણો કેવી રીતે તેને પાકિસ્તાન સાથે જોડી દેવાયું અને હવે કેમ ત્યાં હિંસક આંદોલનો થઈ રહ્યા છે?

રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે મળીને સેટેલાઇટ બેઝ્ડ ઈન્ટરનેટ આપવા માટે ખુબ ઉત્સુક છે . વોડાફોન-આઈડિયા માટે મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે . તો જાણીએ કઈ રીતે સ્પેસએક્સનું ઈન્ટરનેટ કામ કરે છે?