સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 124.89 મીટરે પહોંચી, ડેમ ઓવરફ્લો થવાની શક્યતા


  • Published By :
  • Published Date : 2023-07-14 14:41:32

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 124.89 મીટરે પહોંચી છે. મધ્યપ્રદેશ તથા ડેમના કેચમેન્ટ એરિયામાં વરસી રહેલાં મુશળધાર વરસાદના કારણે નર્મદા ડેમની સપાટી એકદમ ઝડપથી વધી રહી છે. બુધવારે પાણીની આવક 1.25 લાખ કયુસેક થઇ જતાં ડેમની સપાટી 124.89 મીટર સુધી પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 0.50 મીટરનો વધારો નોંધાયો છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે નર્મદા ડેમની જળ સપાટીમાં હજુ પણ  વધારો થવાની શક્યતા છે.


ડેમ ઓવરફ્લો થવાની શક્યતા


મધ્યપ્રદેશમાં વરસાદના કારણે ઓમકારેશ્વર ડેમના વીજ ઉત્પાદન મથકના 3 ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યાં હતાં જેના કારણે સરદાર સરોવરમાં પાણીની આવક થઇ રહી હોવાથી ડેમની સપાટીમાં વધારો થઇ રહયો છે. પણ હાલમાં મધ્યપ્રદેશમાં વરસાદનું પ્રમાણ વધી જતાં ઓમકારેશ્વર ડેમના 3ના બદલે પાંચ ટર્બાઇન ચાલુ કરી દેવાયાં છે. આ ઉપરાંત ડેમના કેચમેન્ટ એરિયામાં પણ ધોધમાર વરસાદ થઇ રહયો છે જેનાથી સરદાર સરોવરમાં આવતાં પાણીનો જથ્થો એકદમ વધીને 1.25 લાખ કયુસેક થઇ ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં જ ડેમની સપાટીમાં 0.50 મીટરનો વધારો થયો છે. નર્મદા ડેમની કૂલ સપાટી 138. 68 મીટર છે. ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઓવરફ્લો થશે તેવી શક્યતા છે. નર્મદા ડેમમાં હાલ પાણી ની આવક 77,955 ક્યુસેક છે.


પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ


નર્મદા ડેમના રીવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ કરી દેવાયાં છે જયારે કેનાલ હેડ પાવર હાઉસનું એક ટર્બાઇન ચાલુ કરી કેનાલમાં પાણી છોડાઇ રહયું છે. ડેમની સપાટી 124.06 મીટર છે જયારે 1.25 લાખ કયુસેક પાણીની આવક સામે 35,959 કયુસેક પાણીની જાવક છે. પાણીની આવક સામે જાવક ઓછી હોવાથી ડેમની સપાટીમાં ઝડપથી વધારો થઇ રહયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ ખાતે 121.92 મીટરની સપાટી બાદ 30 દરવાજા લગાવવામાં આવ્યાં છે. દરવાજા સાથે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!