Sardar Sarovar Damની વધી જળસાપાટી, Gujaratમાં વરસી રહેલા વરસાદને કારણે ડેમમાં થઈ પાણીની આવક, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-09 15:51:51

રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમયના વિરામ બાદ વરસેલા વરસાદને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ભારે વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 151 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. આટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. નર્મદા નદીની જળસપાટી 134.12 મીટરે પહોંચી છે. 138 મીટર નર્મદા ડેમની મહત્તમ સપાટી છે. 


નર્મદા ડેમની જળસપાટીમાં થયો વધારો 

દેશના અનેક રાજ્યોમાં વરસાદની સિસ્ટમ ફરી સક્રિય થઈ છે. ગુજરાત તેમજ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદ ફરી એક વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વરસી રહેલા વરસાદને કારણે નર્મદા ડેમની જળસપાટી સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સરદાર સરોવર ડેમ સરોવરની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક થઈ છે. ડેમની જળસપાટીમાં વધારો થયો છે. 


4338.20 mcm હાલ પાણીનો જથ્થો છે    

ગુજરાતમાં ફરી શરૂ થયેલા વરસાદને કારણે ડેમોમાં પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાં થતા વરસાદને કારણે ડેમો પાણીથી છલકાઈ રહ્યા છે. નર્મદા ડેમની વાત કરીએ તો 24 કલાકમાં 12 સેમીનો વધારો નોંધાયો છે. આ સાથે હાલ નર્મદા ડેમમાં 4338.20 mcm પાણીનો જથ્થો છે. મહત્તમ સપાટી પર પહોંચવા માટે માત્ર 4.56 મીટર જ બાકી છે.   


સપ્ટેમ્બર મહિનામાં મેહુલો થયો મહેરબાન 

ગુજરાતના બીજા ડેમોની વાત કરીએ તો ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક થઈ છે. ડેમની સપાટી 340 ફૂટ છે જ્યારે હાલની સપાટી 334.78 ફૂટ પર પહોંચી ગઈ છે. ડેમમાં 15200 થી વધારે ક્યુસેક પાણીની આવક થઈ છે. મહત્વનું છે કે વરસાદ પડવાને કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ વરસ્યો ન હતો જેને કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા હતા. જગતનો તાત ચિંતિત બન્યો હતો. ત્યારે સપ્ટેમ્બર મહિનામાં મેહુલો મહેરબાન થતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. 



રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.