આ ચોમાસાની સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની જળ સપાટી 126 મીટરને પાર, ડેમ ઓવરફલો થવાની શક્યતા


  • Published By :
  • Published Date : 2023-07-18 14:58:16

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમની જળ સપાટી આજે 126 મીટરથી ઉપર પહોંચી ગઈ છે. ગઈકાલે સાંજે 5 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 126.09 મીટર નોંધાઈ હતી. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ પાણીની આવક 41,590 ક્યુસેક છે. છેલ્લા 24 કલાકમાં ડેમમાં પાણીની સપાટીમાં 17 સેમીનો વધારો થયો છે. નર્મદા ડેમના ઉપરવાસ માં આવેલા ઓમકારેશ્વર ડેમમાંથી તેમજ નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ થતાં ડેમ ખાતે પાણી ની આવક થતા આજ રોજ બપોરે ત્રણ કલાકે નર્મદા ડેમની જળ સપાટી 126 મીટરને પાર પહોંચી હતી. ભારે વરસાદના કારણે સતત પાણીની આવક થતાં સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. ત્યારે વર્તમાન ચોમાસાની સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમની સપાટી 126 મીટરને પાર થઈ છે.


ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધી 


નર્મદા ડેમ આજે રાત્રે 126 મીટર ની સપાટી ઉપર પહોંચવાની શક્યતાઓ વર્તાઈ રહી હતી. નર્મદા ડેમની જળ સપાટી ગઈ કાલે સવારે 6:00 કલાકે 125.65 મીટર ઉપર નોંધાઈ હતી આ સપાટીમાં પ્રતિ કલાકે વધારો નોંધાયો હતો, બપોરના એક કલાકે જળ સપાટી 125.86 મીટર ઉપર પહોંચી હતી તે સમયે નર્મદા ડેમ ખાતે ઉપરવાસમાંથી 76,669 કયુસેક પાણીની આવક નોંધાઈ રહી હતી. જ્યારે કે બપોરે બે કલાકે નર્મદા ડેમની જળ સપાટી 125.89 મીટર ઉપર નોંધાઈ હતી છેલ્લે ત્રણ વાગ્યા સુધીના આંકડા પ્રાપ્ત થતા નર્મદા ડેમની જળ સપાટી 125.90 મીટર ઉપર નોંધાયાના હતા.  


ડેમ ઓવરફલો થવાની શક્યતા


સરદાર સરોવર નર્મદા ડેમની કુલ સપાટી 138.68 મીટર છે. અને ત્યાં સુધી ડેમ ભરાય તે માટે હજી વધુ ભારે વરસાદની જરૂર છે. ડેમ છલકવા માટે હવે લગભગ 10 મીટર પાણી ઓછું છે ત્યારે હજુ ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે ડેમ ચાલુ વર્ષમાં પણ ઓવરફ્લો થશે તેવી શક્યતા છે. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના દિવસે નર્મદા ડેમ ઓવરફલો થયો હતો ત્યારે આ વર્ષે પણ નર્મદા ડેમ ઓવરફ્લો થઈ શકે છે. નર્મદા ડેમમાં હાલ પાણીની આવક  41,590  ક્યુસેક છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!