Sarangpur વિવાદનો આવ્યો સુખદ અંત, સૂર્યોદય પહેલા હટાવાઈ દેવાયા વિવાદીત ભીંતચિત્રો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-05 09:29:26

છેલ્લા ઘણા સમયથી સાળંગપુર મંદિરમાં આવેલી વિશાળ હનુમાનજીની પ્રતિમાની નીચે લાગેલા ભીંતચિત્રોને કારણે વિવાદ છેડાઈ ગયો હતો. આ એ ભીંતચિત્રો હતા જેમાં હનુમાનજીને દાસ બતાવાયા હતા. આ મામલે અનેક સંતો મહંતો, ભક્તો તેમજ લોકસાહિત્યકારોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.અનેક ભક્તોની લાગણી દુભાઈ હતી. વિવાદ શાંત થવાને બદલે પ્રતિદિન ઉગ્ર બનતો હતો ત્યારે ગઈકાલે વિવાદને શાંત પાડવા સરકારે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. બંધબારણે સરકાર અને સંતોની બેઠક થઈ હતી. તે ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને VHPના આગેવાનો વચ્ચે પણ મહત્વની બેઠક થઈ હતી.

 આ વિવાદનો સુખદ સમાધાન આવે તે માટે અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તથા અન્ય સાધુ સંતો વચ્ચે બેઠક મળી હતી. આ બેઠકમાં ગણતરીના કલાકોમાં જ વિવાદનો સુખરૂપ હલ આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી અને થયું પણ એમ જ. (તસવીર: પ્રણવ પટેલ)

આ બેઠક બાદ ભીંતચિત્રો હટાવી લેવાશે તેવી કરાઈ હતી જાહેરાત  

અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે સ્વામિનારાયણ સંતો અને વીએચપીના આગેવાનો વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠકમાં સનાતન ધર્મના સંતો પણ હાજર હતા. બેઠક  બાદ સુખદ નિરાકરણની જાહેરાત કરાઈ હતી. એવી જાહેરાત કરવામાં આવી કે આવતી કાલ સવાર સુધીમાં એટલે કે 5 સપ્ટેમ્બર સવાર સુધીમાં વિવાદીત ભીંતચિત્રો હટાવી દેવામાં આવશે. અને સવાર પડે તે પહેલા જ ભીંતચિત્રો હટાવી લેવાયા છે. વિવાદીત ભીંતચિત્રોને હટાવવાની કામગીરી રાત્રે બાર વાગ્યા પછી શરૂ કરી દેવામાં આવી હતી અને સૂર્યોદય થાય તે પહેલા ભીંતચિત્રો હટાવી લેવાયા છે. ભીંતચિત્રો હટી જતા હવે સમગ્ર વિવાદ શાંત પડ્યો છે. 

 સાળંગપુર વિવાદિત ભીંતચિત્રો આખરે દુર કરવામાં આવ્યા છે. સંતો દ્વારા કરાયેલ જાહેરાત બાદ સૂર્યોદય પહેલાં વિવાદસ્પદ બે ચિત્ર હટાવ્યા છે. રાત્રે બાર વાગ્યા પછી ચિત્રો હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. ભીંતચિત્રો હટાવી લેતા હવે સમગ્ર વિવાદ શાંત પડવાની શક્યતા છે. સનાતન ધર્મના સાધુ સંતોએ પણ નિર્ણયને આવકાર્યો છે તો બીજી બાજુ ભક્તોએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી છે. (તસવીર: પ્રણવ પટેલ)

પોલીસ કાફલો કરાયો હતો તૈનાત 

મહત્વનું છે કે ભીંતચિત્રોનો વિવાદ સામે આવ્યા બાદ અનેક ભક્તોની લાગણી દુભાઈ હતી. હર્ષદ ગઢવી નામના વ્યક્તિએ વિવાદીત ભીંતચિત્રો પર કાળો કલર ફેરવી દીધો હતો અને ભીંતચિત્રોને તોડવાનો પ્રયત્ન કર્યો હતો. તે બાદ પોલીસ બંદોબસ્ત મંદિર પરિસરમાં ગોઠવી દેવાયો હતો. ગઈકાલે પ્રતિમાની આજુબાજુ પણ સુરક્ષા વધારાઈ હતી. ત્યારે હવે આ વિવાદનો સુખદ અંત થઈ ગયો છે. વિવાદીત ભીંતચિત્રોને હટાવાઈ દેવાયા છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!