Sarangpur : વિવાદીત ભીંતચિત્રો પર કાળો કલર કરનારને લઈ આવ્યા અપડેટ! ફરિયાદીએ કહ્યું


  • Published By :
  • Published Date : 2023-09-04 11:34:18

સાળંગપુર વિવાદ દિવસેને દિવસે વકરતો જઈ રહ્યો છે. હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચે રાખવામાં આવેલા ભીંતચિત્રોને કારણે વિવાદ છેડાઈ ગયો છે.  હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનના દાસ બતાવવામાં આવ્યા હોય તેવા ભીંતચિત્રો છે. આ આખો મુદ્દો સામે આવતા હિંદુ સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અનેક કથાકાર, લોકસાહિત્ય કારોએ આ મામલે પ્રતિક્રિયાઓ આપી છે. થોડા દિવસ પહેલા હર્ષદ ગઢવી નામના વ્યક્તિનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે વિવાદીત ભીંતચિત્રો પર કાળો કલર કરી રહ્યો છે. થોડા સમયની અંદર જ હર્ષદ ગઢવીને પોલીસે પકડી પાડ્યો હતો. ત્યારે હવે ફરિયાદ કરનાર સિક્યુરિટી ગાર્ડનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે ફરિયાદને લઈ ખુલાસા કરી રહ્યા છે. 

ફરિયાદીનો વીડિયો સામે આવ્યો છે  

સાળંગપુર મુદ્દાને લઈ અનેક દિવસોથી ચર્ચા ચાલી રહી છે. રોજ નવા નવા અપડેટ સામે આવી રહ્યા છે. ભક્તોની લાગણી દુભાતી હોય તેવી પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો હતો જેમાં વિવાદીત ભીંતચિત્રો પર હર્ષદ ગઢવી નામનો વ્યક્તિ કાળો કલર ફેરવી રહ્યો છે ઉપરાંત મૂર્તિને તોડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ત્યારે જે ફરિયાદીએ આ મામલે ફરિયાદ કરી છે તેમનો વીડિયો સામે આવ્યો છે. 


વીડિયોમાં શું કહી રહ્યા છે ફરિયાદી? 

વીડિયોમાં ફરિયાદીએ કહ્યું કે મારૂં નામ ભુપતભાઈ સાદુળભાઈ ખાંચરે છે. વિડિયોમાં કહ્યું છે કે મને મારી જાણ બહાર આ કેસમાં ફરિયાદી તરીકે નામ આપી દેવાયું છે ઘટના બની તે સમયે મારી ડયુટી હતી બનાવ બન્યાંને થોડીવાર પછી મને ઓફિસમાં બોલાવી પુછેલ કે તમે તૈયાજ હતા ત્યારબાદ ઓફિસમાંએક કાગળ ઉપર સહિ કરાવી હતી સોશીયલ મીડીયાના માધ્યમથી મને ખબર પડી કે મને ફરીયાદી બનાવ્યો છે.


પોલીસ કાફલો કરાયો છે તૈનાત 

મહત્વનું છે કે સાળંગપુર વિવાદને લઈ રોજે નવા નવા અપડેટ આવી રહ્યા છે. કાળા કલરની ઘટના બાદ પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. મોટા પ્રમાણમાં પોલીસને તૈનાત કરી દેવામાં આવ્યા. મહિલા ટીમને પણ ઉતારી દેવામાં આવી છે.  



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .