સારા અલી ખાને બાબા બર્ફાનીના કર્યા દર્શન, અમરનાથ યાત્રાનો વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-07-23 18:18:33

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અવારનવાર મંદિરો, મસ્જિદો, દરગાહ અને ગુરુદ્વારાની મુલાકાત લેતી હોય છે. અભિનેત્રીએ તાજેતરમાં જ ઉજ્જૈનના મહાકાલેશ્વર ધામ મંદિરમાં ભગવાન શિવના દર્શન કર્યા હતા. જો કે શ્રાવણ આ પવિત્ર મહિનામાં ફરી એકવાર, અભિનેત્રી બાબા ભોલેનાથના દર્શન કરવા માટે અમરનાથની યાત્રાએ નીકળી હતી. અભિનેત્રીએ તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અભિનેત્રી હર હર મહાદેવનો જયઘોષ કરતી જોવા મળી રહી છે.


વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ


અભિનેત્રી સારા અલી ખાને જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ધામની મુલાકાત લીધી હતી જ્યાં સારાએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. સારા અલી ખાન સી-ગ્રીન કલરનો ટ્રેક સૂટ પહેરીને અને માથા પર ક્રીમ કલરની શોલ ઓઢીને બાબા અમરનાથની યાત્રા કરતી જોવા મળી હતી. અભિનેત્રીની અમરનાથ ધામ યાત્રાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.  અભિનેત્રી ભગવાન ભોલેનાથની ભક્તિમાં લીન જોવા મળી રહી છે. ત્યારે અભિનેત્રીનો અમરનાથ યાત્રાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, અભિનેત્રી હાથમાં લાઠી લઈને અમરનાથ યાત્રા કરી રહી છે. સારા ગળામાં નાની શાલ અને લાલ ચુંદડી પહેરેલી જોવા મળી રહી છે. સારાએ રસ્તામાં લોકો સાથે મળીને હર હર મહાદેવનો જયકાર કર્યો હતો.


સારાના વીડિયોની લોકોએ કરી પ્રશંસા


એક્ટ્રેસના આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પર એક યુઝરે લખ્યું - કદાચ સમય આવી ગયો છે કે આપણે સારા પાસેથી શીખીએ અને એકબીજાના ધર્મસ્થળોની મુલાકાત લઈએ, કદાચ આપણે અન્ય ધર્મો વિશે કંઈક શીખીશું. સારા આ માટે પ્રશંસાને પાત્ર છે. જ્યારે, અન્યોએ લખ્યું – આ આપણા સનાતન ધર્મની સુંદરતા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે