અમદાવાદમાં 30 અને 31 ડિસેમ્બરના રોજ યોજાશે સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ, આ વિદ્વાનો આપશે પ્રવચન


  • Published By :
  • Published Date : 2023-12-28 20:33:49

અમદાવાદમાં આગામી 30 અને 31 ડિસેમ્બરના રોજ સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા નહેરૂ ફાઉન્ડેશન ખાતે યોજાનારા આ બે દિવસના લેટરેચર ફેસ્ટિવલમાં સંસ્કૃત ભાષાના પંડિતો તેમના મનનીય પ્રવચનો આપશે.  સંસ્કૃતવિદ્યા પ્રતિષ્ઠાનમ ચેરિટેબલ ટ્રસ્ટ, એકલવ્ય સંસ્કૃત એકેડેમી અને સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે ભારતમાં માત્ર અમદાવાદમાં જ સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. 


આ વક્તાઓ આપશે પ્રવચન 


 બે દિવસના સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલમાં વિવિધ ક્ષેત્રના વક્તાઓ તેમના વિચારો રજુ કરશે. આ નિષ્ણાતોમાં શિવાનંદ આશ્રમના સ્વામિ પરમાત્માવંદ સરસ્વતી, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિરજા ગુપ્તા, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. ભાગ્યૈશ જહા, સંસ્કૃત સાહિત્ય અકાદમીના મહાપાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ, આયુર્વેદાચાર્ય ડો. ભવદીપ ગણાત્રા, આચાર્ય બાલકૃષ્ણ દવે, નવગુજરાત કોલેજના ટ્રસ્ટી સ્નેહલ શાહ, ડો. કમલેશ ચોક્સી, ડો. અમૃતલાલ ભોગાયતા, ડો. વસંત કુમાર ભટ્ટ, ડો. ચાન્દ કિરણ સલુજા ટ્રસ્ટી સંસ્કૃત સંવર્ધન દિલ્હી, અમી ગણાત્રા વિવિધ વિષયો પર તેમનું પ્રવચન આપશે. તે ઉપરાંત માધવી ઝાલા, ઝંખના શાહ, ચંદન ઠાકોર અને નિરાલી ઠાકોર તેમની નૃત્યનાટિકા રજુ કરી કરશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.