કાશ્મીરના પુલવામામાં કાશ્મીરી પંડિત યુવાનની ધોળા દિવસે, ભર બજારે હત્યા


  • Published By :
  • Published Date : 2023-02-26 12:51:10

જમ્મુ-કાશ્મીરમાં કલમ 356ને નાબુદ કરવામાં આવ્યા બાદ કાશ્મીરી પંડિતોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પુલવામામાં આતંકવાદીઓએ બેંકના સુરક્ષા ગાર્ડની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. સિક્યોરિટી ગાર્ડનું નામ સંજય શર્મા જણાવવામાં આવી રહ્યું છે. આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન આ વિસ્તારમાં ચાલી રહ્યું છે, સુરક્ષા દળોએ હુમલાખોરો દ્વારા પકડવા માટે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.


ફરી એકવાર ટાર્ગેટ કિલિંગ


એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે અચનના કાશીનાથ શર્માના પુત્ર સંજય શર્મા જ્યારે સ્થાનિક બજારમાં જઈ રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ તેના પર ગોળીબાર કર્યો હતો. ઈજાગ્રસ્ત સંજયને તાત્કાલિક સારવાર માટે નજીકની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જો કે ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. અધિકારીએ જણાવ્યું કે તે વ્યવસાયે બેંક સિક્યોરિટી ગાર્ડ છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.