દિલ્હી સ્થિત નહેરૂ મ્યુઝિયમનું બદલાયું નામ, નામકરણ થતાં સંજય રાઉતે આપી પ્રતિક્રિયા, સાંભળો આ મામલે શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-06-17 14:15:32

કેન્દ્ર સરકાર દ્વારા નવી દિલ્હી સ્થિત નહેરૂ મેમોરિયલ મ્યુઝીયમ અને લાઈબ્રેરીનું નામ બદલી દેવામાં આવ્યું છે. નામકરણ કરાતા હવેથી નહેરૂ મ્યુઝિયમ, વડાપ્રધાન મ્યુઝિયમ અને લાઈબ્રેરીથી ઓળખાશે. નામ બદલવામાં આવતા કોંગ્રેસ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી જેમાં મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. ત્યારે આ મામલે ઉદ્ધવ ઠાકરેવાળી શિવસેનાના નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આ લોકો ઈતિહાસને ભૂંસી નાખવા માગે છે.

 


મ્યુઝિમનું નામ બદલાતા સંજય રાઉતે કર્યા ભાજપ પર પ્રહાર! 

અનેક જગ્યાઓના નામ ભાજપની સરકાર દ્વારા બદલવામાં આવ્યા છે. ત્યારે ગુરૂવારે મળેલી બેઠકમાં નહેરૂ મેમોરિયલ મ્યુઝીયમ અને લાઈબ્રેરીનું નામ બદલી વડાપ્રધાન મ્યુઝિયમ અને લાઈબ્રેરી કરવામાં આવ્યું છે. કોંગ્રેસના અનેક નેતાઓએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી ત્યારે શિવસેનાના નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે. સંજય રાઉતે કહ્યું કે હું સંમત છું કે અન્ય વડાપ્રધાનોને મ્યુઝિયમમાં સ્થાન મળવું જોઈએ. નામ બદલવાની જરૂર નથી. 


કોંગ્રેસના નેતાઓએ આપી હતી પ્રતિક્રિયા!

દેશના પ્રથમ વડાપ્રધાને આ જગ્યા પર અંતિમ શ્વાસ લીધા હતા તેવી માહિતી સામે આવી હતી. ત્યારે આ જગ્યાનું નામ બદલી નખાતા કોંગ્રેસના નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિરોધ દર્શાવ્યો છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે જેમનો કોઈ ઈતિહાસ જ નથી, તે બીજાના ઈતિહાસને ભૂંસવા ચાલ્યા છે. તે સિવાય કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. ટ્વીટ કરતા તેમણે લખ્યું કે, સંકુચિતતા અને બદલો લેવાનું બીજું નામ મોદી છે. 59 વર્ષથી વધુ સમયથી, નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી વૈશ્વિક બૌદ્ધિક એક ઐતિહાસિક સ્થળે પુસ્તકો અને રેકોર્ડ્સનો ખજાનો રહ્યો છે. હવેથી તે વડાપ્રધાન મ્યુઝિયમ અને સોસાયટી કહેવાશે. પીએમ મોદી ભારતીય રાષ્ટ્ર-રાજ્યના શિલ્પકારનું નામ અને વારસાને વિકૃત કરવા, બદનામ કરવા અને નષ્ટ કરવા માટે શું- શું નહીં કરે. પોતાની અસલામતીના બોજ હેઠળ દબાયેલો એક નાના કદનો વ્યક્તિ સ્વયં-ઘોષિત વિશ્વ ગુરુ બનીને ફરી રહ્યા છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.