કર્ણાટકમાં હાર બાદ સંજય રાઉતનો ભાજપને ટોણો, 'મોદી લહેર ખતમ થઈ છે, સરમુખત્યારશાહીને પણ હરાવી શકાય છે'


  • Published By :
  • Published Date : 2023-05-14 14:10:27

શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સંજય રાઉતે કર્ણાટક  ચૂંટણીમાં ભાજપના પરાજયને લઈ આકરા પ્રહારો કર્યા છે. તેમણે ટોણો મારતા કહ્યું કે મોદી લહેર સમાપ્ત થઈ ગઈ છે અને હવે તેમની લહેર આવવાની છે. કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસની જીત પર સંજય રાઉતે કહ્યું કે બજરંગ બલીએ ભાજપને નહીં પરંતુ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે 2024ની તૈયારીઓને લઈને રવિવારે શરદ પવારના ઘરે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે.


'મોદી લહેર સમાપ્ત'


સંજય રાઉતે કહ્યું કે 'મોદી લહેર ખતમ થઈ ગઈ છે અને હવે દેશમાં અમારી લહેર આવવાની છે. 2024ની લોકસભા ચૂંટણી માટે અમારી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે શરદ પવારની અધ્યક્ષતામાં એક બેઠક બોલાવવામાં આવી છે, જેમાં 2024ની લોકસભા ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવશે અને તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.


સરમુખત્યારશાહીને હરાવી શકાય છે

 

કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસની જીત પર રાઉતે કહ્યું કે કર્ણાટકની જનતાએ બતાવી દીધું છે કે સરમુખત્યારશાહીને હરાવી શકાય છે. જો કોંગ્રેસ જીતી છે તો તેનો અર્થ એ છે કે બજરંગ બલી કોંગ્રેસ સાથે છે, ભાજપ સાથે નથી. આપણા ગૃહમંત્રી કહેતા હતા કે જો ભાજપ હારી જશે તો રમખાણો થશે. કર્ણાટકમાં સર્વત્ર શાંતિ અને ખુશીનો માહોલ છે. રમખાણો ક્યાં થઈ રહ્યા છે?



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.