કચ્છના લખપત તાલુકામાં ચાલી રહ્યું છે રેતી ચોરીનું કૌભાંડ, ફરિયાદી હઠુજી સોઢાને મળી મોતની ધમકી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-31 16:08:05

રાજ્યમાં ખનીજ ચોરી ચિંતાનો વિષય બન્યો છે, ખનીજ માફિયાઓ બેફામપણે નદીના પટમાંથી રેતી ચોરી કરે છે. રાજ્યના ખાણ અને ખનીજ વિભાગ પણ આ મામલે નિષ્ક્રિય રહે છે. કચ્છના લખપત તાલુકાના મુધાન ગામ નજીકની મીઠી નદીમાંથી મોટાપાયે રેતી ચોરીનું કૌંભાંડ ચાલી રહ્યું છે. આ રેતી ચોરીમાં મુધાન ગામના સરપંચ અને ખનીજ ચોર સુરતાજી હમીરજી જાડેજાનો સીધો હાથ હોવાનું સામે આવ્યું છે. આ જ ગામના એક જાગૃત નાગરિક સોઢા હઠુજી સવાઈજીએ આ રેતી ચોરીના સંદર્ભમાં અનેક વખત અવાજ ઉઠાવ્યો છે અને રાજ્યના ખાણ અને ખનીજ વિભાગથી લઈને કચ્છના કલેક્ટર સુધ્ધાને લેખિત અને મૌખિક ફરિયાદ કરી છે. સોઢા હઠુજી સવાઈજીએ ખનીજ ચોરીના મામલે મુધાન ગામના સરપંચ સુરતાજી હમીરજી જાડેજા તથા તેમના પાર્ટનર અને કુરિયાણી ગામના સોઢા ચમન સિંહ દ્વારા થતી રેતી ચોરી અંગે અનેક વખત સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી છે. જો કે હજુ સુધી આ મામલે તે બંને સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો કે હવે આ બંને ખનીજ માફિયાઓએ સોઢા હઠુજી સવાઈજીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. 



ખનીજ માફિયાઓએ શું ધમકી આપી   


મુધાન ગામના સરપંચ અને ખનીજ ચોર સુરતાજી હમીરજી જાડેજાએ ગામના જાગૃત નાગરિક સોઢા હઠુજી સવાઈજીને જાનથી મારી નાખવાની ધમકી આપતા કહ્યું  કે તને મારીને તારી લાશ પણ ગુમ કરી દેવામાં આવશે. તે ઉપરાંત તેમની ઉપર 50 ટન વજનવાળી ગાડી ચડાવી દેવાની પણ ધમકી આપી હતી.  સરપંચ સુરતાજી હમીરજી જાડેજા તથા તેમના પાર્ટનર અને કુરિયાણી ગામના સોઢા ચમન સિંહ સમાંત સિંહ (નિવૃત LCB અધિકારી) છેલ્લા 3 વર્ષથી મીઠી નદીમાંથી મોટાપાયે રેતી ચોરી કરી રહ્યા છે. આ બંને ખનીજ માફિયાઓ રાતના 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી મીઠી નદીમાંથી ખનીજ ચોરી કરે છે. આ બંને લોકો લગભગ 300થી 350 ડંપર જેટલી રેતીનો જથ્થો ચોરી કરી રહ્યા છે. 

મુધાન  ના સરપંચ જાડેજા  સૂરતાજી હમીરજી

ધમકી અંગે ઉચ્ચ સ્તરે કરી જાણ


મુધાન ગામના  જાગૃત નાગરિક સોઢા હઠુજી સવાઈજીને જાનથી મારી નાખવાની ધમકી મળતા આ સંદર્ભે  તેમણે ઉચ્ચ કક્ષાએ પણ જાણ કરી છે. સોઢા હઠુજી સવાઈજીએ પીએમ ઓફિસ દિલ્હી, સી એમ ઓફિસ ગાંધીનગર, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, દયાપર પોલીસ સ્ટેશન, એલસીબી ઓફિસ કચ્છ ભૂજ, કલેક્ટર ઓફિસ નખત્રાણા, ભૂજ, સહિતના ઉચ્ચ અધિકારીઓને તેમના જીવને ખતરો હોવાની લેખિતમાં જાણ કરી છે. મુધાન ગામના સરપંચ સુરતાજી હમીરજી જાડેજા તથા તેમના પાર્ટનર અને કુરિયાણી ગામના સોઢા ચમન સિંહ સમાંત સિંહ તરફથી સોઢા હઠુજી સવાઈજીને સીધો ખતરો હોવાની જાણ કરી છે તેમ છતાં તંત્રએ હજુ આ દિશામાં કોઈ જ કાર્યવાહી કરી નથી.

અરજદાર હઠુજી એસ સોઢા, ગામ. મુધાન



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!