સંયુક્ત કિસાન મોરચાએ સરકારનો પ્રસ્તાવ ફગાવ્યો કહ્યું, 'MSP ગેરંટીથી ઓછું કઈ મંજુર નથી'


  • Published By :
  • Published Date : 2024-02-19 18:28:03

સંયુક્ત કિસાન મોરચાએ કેન્દ્ર સરકારના MSPના પ્રસ્તાવને ફગાવી દીધો છે. કેન્દ્ર સરકારે MSP પર પાંચ વર્ષના કરારનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે મીડિયા રિપોર્ટના આધારે તેમને ખબર પડી છે કે કેન્દ્ર સરકાર A2+FL+50%ના આધારે MSP પર વટહુકમ લાવવાની યોજના બનાવી રહી છે. ખેડૂતોના સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે C2+50% થી નીચેની કોઈપણ વસ્તુ સ્વીકારવામાં આવશે નહીં.


કેન્દ્ર સરકારની શું છે દરખાસ્ત?


કેન્દ્ર સરકારના નિવેદન અનુસાર, મકાઈ, કપાસ, તુવેર, મસૂર અને અડદ સહિતના પાંચ પાકની ખરીદી માટે ખેડૂતોને પાંચ વર્ષના કરારની દરખાસ્ત કરવામાં આવી છે. જો કે, કિસાન મોરચાએ સ્પષ્ટતા કરી છે કે તેઓ માત્ર C2+50% ફોર્મ્યુલાના આધારે MSPની ગેરંટી ઇચ્છે છે. કિસાન મોરચાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભાજપે પોતે 2014ની લોકસભા ચૂંટણીમાં પોતાના મેનિફેસ્ટોમાં આ વચન આપ્યું હતું.


સ્વામિનાથન આયોગનું શું છે સુચન


કિસાન મોર્ચાએ કહ્યું હતું કે સ્વામિનાથન આયોગે વર્ષ 2006માં તેના રિપોર્ટમાં કેન્દ્ર સરકારને C2+50% ના આધાર પર MSP (ટેકાના ભાવ) આપવાનું સુચન કર્યું હતું. નિવેદનમાં કહ્યું છે કે આ જ આધાર પર તમામ કૃષિ પાક પર ટેકાના ભાવની ગેરંટી ખેડૂતો ઈચ્છે છે. તેના દ્વારા ખેડૂતો તેમની કૃષિ પેદાશો ફિક્સ ભાવ પર વેચી શકશે અને તેમને નુકસાન ઉઠાવવું પડશે નહીં. મોર્ચાએ કહ્યું છે કે જો મોદી સરકાર બિજેપીએ આપેલા ચૂંટણી વચનોને પુરા કરી શકતી નથી તો પ્રધાન મંત્રી મોદી ઈમાનદારીપૂર્વર જનતાને બતાવે. 


કેન્દ્રીય મંત્રી MSP પર નથી કરતા સ્પષ્ટતા


સંયુક્ત કિસાન મોરચાનું કહેવું છે કે કેન્દ્રીય મંત્રી આ સ્પષ્ટતા કરવા તૈયાર નથી કે તેમના દ્વારા રજુ કરવામા આવેલા MSP પ્રસ્તાવ A2+FL+50% પર આધારીત છે કે C2+50% પર. આ મુદ્દે કોઈ પારદર્શિતા નથી, જ્યારે આ મુદ્દે ચાર વખત ચર્ચા થઈ ચુકી છે. આ દિલ્હીની સરહદે 2020-21ના ઐતિહાસિક કિસાન આંદોલનના દરમિયાન SKM દ્વારા સ્થાપિત લોકતાંત્રિક સંસ્કૃતિની વિરૂધ્ધની બાબત છે.  



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.