દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌંભાંડમાં EDએ દારૂના વેપારી સમીર મહેન્દ્રુની ધરપકડ કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 11:47:48

દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં ભ્રષ્ટાચારના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરતા દેશના સૌથી પ્રખ્યાત દારૂના વેપારી સમીર મહેન્દ્રુની ધરપકડ કરી છે. આ પહેલા ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ઓન્લી મચ લાઉડરના પૂર્વ સીઈઓ અને થોડા વર્ષો સુધી AAPના સંચાર પ્રભારી રહી ચુકેલા વિજય નાયરની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 


EDના રડાર પર હતા સમીર મહેન્દ્રુ


EDએ આબકારી નીતિમાં ભ્રષ્ટાચાર સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં સમીર મહેન્દ્રુની ધરપકડ પહેલા કેન્દ્રીય તપાસ એજન્સીએ સમીર મહેન્દ્રુની અનેક રાઉન્ડ સુધી પૂછપરછ કરી હતી. નવી આબકારી નીતિ અંગે તેમને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સંપૂર્ણ ખાતરી થયા બાદ EDએ સમીર મહેન્દ્રુની ધરપકડ કરી હતી. પ્રખ્યાત દારૂના વેપારીની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમીર મહેન્દ્રુને બુધવારે જ કોર્ટમાં રજૂ કરી શકે છે.


દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌંભાંડ શું છે?


દિલ્હી સરકારની જૂની દારૂની નીતિની તુલનામાં આબકારી મંત્રી મનીષ સિસોદિયા વર્ષ 2021-22માં નવી નીતિ લાવ્યા હતા. તપાસ એજન્સીએ તેમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે. તપાસ એજન્સીનો દાવો છે કે, નવી નીતિએ દારૂ વેચનારાઓના છૂટક માર્જિનમાં 989%નો વધારો કર્યો છે.અત્રે ઉલ્લેખનિય છે કે, દિલ્હી સરકારની નવી એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડ કેસમાં સીબીઆઈ પણ કાર્યવાહી કરી રહી છે. આ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ આ કેસમાં સક્રિય થયું અને મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો. 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.