દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌંભાંડમાં EDએ દારૂના વેપારી સમીર મહેન્દ્રુની ધરપકડ કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 11:47:48

દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં ભ્રષ્ટાચારના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરતા દેશના સૌથી પ્રખ્યાત દારૂના વેપારી સમીર મહેન્દ્રુની ધરપકડ કરી છે. આ પહેલા ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ઓન્લી મચ લાઉડરના પૂર્વ સીઈઓ અને થોડા વર્ષો સુધી AAPના સંચાર પ્રભારી રહી ચુકેલા વિજય નાયરની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 


EDના રડાર પર હતા સમીર મહેન્દ્રુ


EDએ આબકારી નીતિમાં ભ્રષ્ટાચાર સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં સમીર મહેન્દ્રુની ધરપકડ પહેલા કેન્દ્રીય તપાસ એજન્સીએ સમીર મહેન્દ્રુની અનેક રાઉન્ડ સુધી પૂછપરછ કરી હતી. નવી આબકારી નીતિ અંગે તેમને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સંપૂર્ણ ખાતરી થયા બાદ EDએ સમીર મહેન્દ્રુની ધરપકડ કરી હતી. પ્રખ્યાત દારૂના વેપારીની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમીર મહેન્દ્રુને બુધવારે જ કોર્ટમાં રજૂ કરી શકે છે.


દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌંભાંડ શું છે?


દિલ્હી સરકારની જૂની દારૂની નીતિની તુલનામાં આબકારી મંત્રી મનીષ સિસોદિયા વર્ષ 2021-22માં નવી નીતિ લાવ્યા હતા. તપાસ એજન્સીએ તેમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે. તપાસ એજન્સીનો દાવો છે કે, નવી નીતિએ દારૂ વેચનારાઓના છૂટક માર્જિનમાં 989%નો વધારો કર્યો છે.અત્રે ઉલ્લેખનિય છે કે, દિલ્હી સરકારની નવી એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડ કેસમાં સીબીઆઈ પણ કાર્યવાહી કરી રહી છે. આ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ આ કેસમાં સક્રિય થયું અને મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો. 



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.