શું સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા મળશે? આવતીકાલે સુપ્રીમ કોર્ટ આ મામલે સંભળાવશે મહત્વનો ચુકાદો


  • Published By :
  • Published Date : 2023-10-16 22:33:45

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે 11 મેના રોજ સુનાવણી પૂર્ણ કરી અને સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાની અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. તેના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે ગે લગ્નને કાનૂની માન્યતા આપી શકાય કે નહીં. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે આ જટિલ કેસની દસ દિવસ સુધી સુનાવણી કરી હતી. 8 ઓગસ્ટના રોજ ચીફ જસ્ટિસે સંકેત આપ્યો હતો કે બેન્ચ આ અંગે પોતાનો ચુકાદો લખવાની પ્રક્રિયામાં છે. બંધારણીય બેંચમાં મુખ્ય ન્યાયાધીશની સાથે જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે. જસ્ટિસ ભટ્ટ 20 ઓક્ટોબરે નિવૃત્ત થઈ રહ્યા છે. આ મામલે કેન્દ્ર સરકાર શરૂઆતથી અંત સુધી ગે લગ્નને કાનૂની માન્યતાની માંગનો વિરોધ કરી રહી છે.


સરકારે સુપ્રીમમાં કર્યો છે વિરોધ 


કેન્દ્ર સરકારે કહ્યું સુપ્રીમમાં તેનો જવાબ રજુ કરતા કહ્યું હતું કે આ માત્ર દેશની સાંસ્કૃતિક અને નૈતિક પરંપરાની વિરુદ્ધ નથી, પરંતુ તેને માન્યતા આપતા પહેલા 28 કાયદાની 160 જોગવાઈઓમાં ફેરફાર કરીને પર્સનલ લોમાં પણ ફેરફાર કરવો પડશે. સુનાવણી દરમિયાન બેન્ચે એક વખત તો એમ પણ કહ્યું હતું કે કાયદાકીય માન્યતા વિના સરકાર આ લોકોને રાહત આપવા માટે શું કરી શકે? એટલે કે બેંક ખાતા, વારસો, વીમો, બાળક દત્તક વગેરે માટે સરકાર સંસદમાં શું કરી શકે? સરકારે એમ પણ કહ્યું હતું કે તે કેબિનેટ સચિવની દેખરેખ હેઠળ નિષ્ણાતોની સમિતિ બનાવીને સમલૈંગિકોની સમસ્યાઓ પર વિચાર કરવા તૈયાર છે.


શું છે સમગ્ર મામલો?

 

દિલ્હી હાઈકોર્ટ સહિત દેશની વિવિધ અદાલતોમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવાની માંગ કરતી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવા માટે સૂચના જારી કરવાની માંગ કરવામાં આવી હતી. ગયા વર્ષે 14 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ બે અરજીઓને ટ્રાન્સફર કરવાની માંગ પર કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો. આ પહેલા 25 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે પણ બે અલગ-અલગ ગે યુગલોની અરજી પર કેન્દ્રને નોટિસ પાઠવી હતી. આ યુગલોએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ તેમના લગ્નની નોંધણી કરાવવા માટે અધિકારીઓની પરવાનગી માંગી હતી. આ વર્ષે 6 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આ તમામ અરજીઓને જોડીને તેને પોતાની પાસે ટ્રાન્સફર કરી હતી.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .

ડોનાલ્ડ ટ્રમ્પએ રેસિપ્રોકલ ટેરીફના અમલીકરણ માટે ૯૦ દિવસનો પ્રતિબંધ મુક્યો છે. તો આ તરફ ઈરાને "પરમાણુ" હથિયારોનો ત્યાગ કરવાની તૈયારી બતાવી છે. અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેંગસેથ પનામા કેનાલની મુલાકાતે ગયા હતા અને તેમણે પનામા કેનાલને ફરી વખત પાછું લેવાની વાત કરી છે. બાંગલાદેશના પીએમ મોહમ્મદ યુનુસ જયારે થોડાક દિવસ પેહલા ચાઇનાની મુલાકાતે ગયા ત્યાં તેમણે ઉત્તર-પૂર્વીય ભારત માટે ખુબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું . હવે ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

ભારત તેની પ્રહારક્ષમતા વધારવા માટે પ્રોજેક્ટ વર્ષાનું અમલીકરણ કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ "ટેરિફ વિસ્ફોટ" પછી "વિઝા ટેરર" ની નીતિ અપનાવી છે. યુએઈના રક્ષા મંત્રી ભારત આવ્યા છે તેમણે ભારત સાથે ખુબ મહત્વના ક્ષેત્રોમાં સહકાર સાધવાનો પ્રયાસ કર્યો છે. તો હવે ઈરાન અને અમેરિકા પરમાણુ ક્ષેત્રે વાર્તાલાપ કરવા તૈયાર છે.

આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.