સમઢીયાળા‌ ડબલ મર્ડર કેસમાં SITને મળી મોટી સફળતા, 5 આરોપીઓ ઝડપાયા, FSLની પણ મદદ લેવાશે


  • Published By :
  • Published Date : 2023-07-16 17:30:40

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે જમીન વિવાદમાં જુથ અથડામણમાં એક જ પરિવારના બે લોકોની હત્યા કરી નાખવામાં આવી હતી. જમીન વિવાદમાં થયેલા ડબલ મર્ડર કેસની તપાસમાં  સીટની રચના કરવામાં આવી હતી. રાજકોટ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) દ્વારા ચુડા તાલુકાના સમઢીયાળા‌ ગામે થયેલ ડબલ મર્ડરના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. હત્યા નીપજાવનાર આરોપીઓ પૈકી 5 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેસમાં મજબુત પુરાવા એકઠા કરવા સ્પેશિયલ FSLની ટીમની મદદ લેવામાં આવશે.


આ 5 આરોપીઓની ધરપકડ


જામનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલુના અધ્યક્ષસ્થાન હેઠળની સીટની ટીમ દ્વારા હાલ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અમરાભાઈ હરસુરભાઈ ખાચર,  જીલુભાઈ ઉર્ફે ઘુધાભાઈ  અમરાભાઈ ખાચર, મંગળુભાઈ અમરાભાઈ ખાચર, ભીખુભાઈ ભોજભાઈ ખાચર અને રણજીતભાઇ ઉર્ફે ભાણભાઈ વેળાભાઇ ભાંભળાને ઝડપી લઇ વધુ પુછપરછ હાથ ધરી છે. આ ચકચારી ડબલ મર્ડરમાં મૃતક બન્ને આધેડની લાશ અંદાજે 40 કલાક બાદ સ્વીકારવામાં આવી હતી અને આ બનાવના સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા હતાં ત્યારે આ મામલે સીટ દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.


FSLની સ્પેશિયલ ટીમની મદદ કેમ લેવાઈ?


સમઢીયાળા ડબલ મર્ડર કેસમાં આરોપીને કડક સજા થાય તે માટે મજબુત પુરાવાઓ એકઠા કરવા FSLની સ્પેશિયલ ટીમની મદદ લેવામાં આવશે. તેમજ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ નિમણૂંક કરવામાં આવશે. આ ડબલ મર્ડરમાં પોલીસ ફરીયાદમાં 10થી વધુ અજાણ્યા માણસોનો પણ ઉલ્લેખ છે. ત્યારે તે અજાણ્યા આરોપીઓ કોણ છે તેની ઓળખ મેળવવા સીટની ટીમ દ્વારા હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને રિમાન્ડમાં પૂછપરછ બાદ જે અન્ય આરોપીના નામ ખુલશે તે તેમને ઝડપી લેવા માટે પણ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ઝડપથી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરાશે.


સમગ્ર મામલો શું છે?

 

હાલ અમદાવાદ ખાતે રહેતા અને મૂળ ચુડા તાલુકાના સમઢિયાળા ગામના પરમાર પરિવાર પોતાના ગામ સમઢિયાળા આવ્યો હતો અને સમઢિયાળાથી કોરડા તરફ જતા રસ્તા પર આવેલ વડીલોપાર્જીત વાડીમાં ગયા હતા. તે દરમિયાન અંદાજે 20 જેટલા શખ્શોએ જમીન બાબતનું મનદુઃખ રાખી ધારિયા અને લાકડીઓ વડે એક સંપ થઈ હુમલો કર્યો હતો. જેમાં એક જ પરિવારના મનોજભાઈ પ્રેમજીભાઈ પરમાર, આલજીભાઇ પ્રેમજીભાઈ પરમાર, દલાભાઈ પ્રેમજીભાઈ પરમાર, કાંતાબેન આલજીભાઈ પરમાર અને નંદિનીબેન મનોજભાઈ પરમાર સહિત 5 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા  ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી ત્રણ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે સગાભાઈઓ આલજીભાઈ પરમાર અને મનોજભાઈ પરમારનું મોત નિપજતા જૂથ અથડામણનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ બનાવની જાણ ચુડા પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. 


બે PSIને સસ્પેન્ડ કરાયા હતા


સુરેન્દ્રનગરમાં ચુડા તાલુકામાં આવેલા સમઢીયાળા ખાતે જમીનના ડખામાં જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં બે સગા ભાઈઓના મોત નિપજ્યા છે. જેને લઈને મામલો વધુ તંગ બન્યો હતો. આ મામલામાં રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે તાત્કાલીક બેઠક કરી સમીક્ષા બાદ પગલા લીધા હતા. જેમાં કેસની તપાસ માટે SITની રચના કરી હતી અને સ્પેશ્યલ વકીલની નિમણૂક કરી હતી. ઉપરાંત ફરજ પર બેદરકારી દાખવનારા ચુડા તત્કાલીન PSI જે બી મીઠાપરા અને હાલના મહિલા PSI  ટી જે ગોહિલને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કર્યો હતો.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!