સાળંગપુર મંદિર વિવાદ વધુ વકર્યો, ભક્તની લાગણી દુભાતા વિવાદિત ચિત્ર પર ફેરવ્યો કાળો રંગ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-02 18:28:31

સાળંગપુર વિવાદ સતત વધતો જઈ રહ્યો છે. મોટી મૂર્તિઓ નીચે રાખવામાં આવેલી મૂર્તિઓને લઈ વિવાદ છેડાયો હતો. ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વમીનારાયણ ભગવાનના દાસ તરીકે બતાવવામાં આવ્યા છે. આ પ્રતિમાઓને કારણે અનેક ભક્તોની લાગણી દુભાઈ છે. અનેક કથાકારો, સંતોએ, લોકસાહિત્યકારોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. 

 


લાગણી દુભાતા વિવાદિત ભીંતચિત્રો પર ભક્તે કાળો કલર લગાવી દીધો!

ત્યારે વધુ એક અપડેટ સામે આવી છે. જે ભીંત ચિત્રોને લઈ વિવાદ છેડાયો હતો તે વિવાદિત ભીંતચિત્રો પર કાળો કલર કોઈ ભક્તે મારી દીધો છે. ભક્તની લાગણી દુભાતા આ કદમ તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ઘટના બાદ મંદિર પ્રશાસન દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ કાફલાને પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. મંદિરના પ્રાઈવેટ બાઉન્સર તેમજ પોલીસ ભીતચિત્રોની આજુબાજુ ઉભા રહેશે. ભીતચિત્રોની આજુબાજુ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે વ્યક્તિએ આ કામ કર્યું છે તેમનું નામ હર્ષદ ગઢવી છે. 


શું છે સમગ્ર વિવાદ? 

સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં બનાવવામાં આવેલી હનુમાનજીની ‘કિંગ ઑફ સાળંગપુર’ની સૌથી ઊંચી અને વિશાળ પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મમાં શિલ્પચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ શિલ્પચિત્રોમાં હનુમાનજી સ્વામિનારાયણ એટલે કે સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવું દેખાય છે. એક શિલ્પચિત્રમાં હનુમાનજી સ્વામિનારાયણના ચરણમાં બેઠા હોય તેવું દેખાય છે. પ્રતિમાની નીચે લગાવેલી આ નાના-નાના શિલ્પચિત્રોમાં હનુમાનજીને ભગવાન સ્વામિનારાયણના સેવક અને પ્રણામ કરતા દર્શાવવામાં આવ્યા છે. હવે આ શિલ્પચિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર રાજ્યોમાં હોબાળો મચી ગયો છે. ભક્તોની લાગણી દુભાઈ ગઈ છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.